Site icon

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર

ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મહારાષ્ટ્ર ભવન બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આને મંજૂરી આપી દીધી છે

Maharashtra Bhawan to be built in Ayodhya yogi adityanath eknath shinde

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના અયોધ્યા ( Ayodhya ) શહેરમાં મહારાષ્ટ્ર ભવન ( Maharashtra Bhawan ) બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આને મંજૂરી આપી દીધી છે. સીએમ યોગીના મુંબઈ આગમન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજભવન ખાતે તેમની મુલાકાત કરી હતી.

Join Our WhatsApp Community

સીએમ શિંદે રામલલાના દર્શન કરવા અયોધ્યા જશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ મુંબઈના પ્રવાસે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજભવન ખાતે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ યોગી આદિત્યનાથને અયોધ્યામાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવવા માટે જગ્યા આપવાની માંગ કરી હતી. સીએમ યોગીએ આ માંગને મંજૂર કરી હતી. મુખ્યમંત્રી શિંદેએ તેમને એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રામલલાના દર્શન કરવા અયોધ્યા આવશે. જેના પર યોગીએ તેમને ઉત્તર પ્રદેશ સરકાર વતી અયોધ્યા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, બીજેપી સાંસદ રવિ કિશન હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસીય મુંબઈ પ્રવાસે છે. યોગી આદિત્યનાથ માયાનગરીમાં ઉદ્યોગપતિઓ અને ફિલ્મ ઉદ્યોગના લોકોને મળી રહ્યા છે. આ સાથે તેઓ તેમને યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઘણી બેઠકો કરશે. સીએમ યોગી મુંબઈમાં રોડ શો પણ કરશે. જો કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી યોગીના રોડ શોને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Exit mobile version