Mumbai News:ખાડાઓથી કાયમી છુટકારો! આવતા વર્ષે મે સુધીમાં મુંબઈના રસ્તાઓનો થશે કાયાકલ્પ, BMC નો મેગા પ્લાન તૈયાર

Mumbai News:બીએમસી (BMC) કમિશનરે રોડ પ્રોજેક્ટની સમીક્ષા કરી; ડિસેમ્બર 2026 સુધીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થશે, મે 2027 સુધીમાં આખું મુંબઈ ખાડા મુક્ત બનશે.

by Janvi Soni
Mumbai News: Mumbaikars to get pothole-free roads soon; Concrete road project to be completed by May 2027.

News Continuous Bureau | Mumbai

Mumbai News:મુંબઈના રહેવાસીઓને દર ચોમાસે પડતા ખાડાઓની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ કમર કસી છે. શહેરમાં રસ્તાઓના સિમેન્ટ-કોંક્રિટીકરણનો પ્રોજેક્ટ બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો છે. મુંબઈ મહાપાલિકા કમિશનર અશ્વિની ભિડેએ આ પ્રોજેક્ટની સમીક્ષા કરી સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રોજેક્ટ મે 2027 સુધીમાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ કામગીરી માટે કોઈ મુદત વધારો આપવામાં આવશે નહીં.કોંક્રિટીકરણ પ્રોજેક્ટના બે તબક્કા હેઠળ કુલ 2,118 રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી 1,170 રસ્તાઓનું સંપૂર્ણ લંબાઈનું કામ અને 559 રસ્તાઓનું જંક્શન-ટુ-જંક્શન કોંક્રિટીકરણ સામેલ છે. અત્યાર સુધીમાં 71 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીના 389 રસ્તાઓનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. ચોમાસા દરમિયાન (Monsoon) કામગીરી બંધ રાખવામાં આવશે જેથી લોકોને અસુવિધા ન થાય.

‘ડેશ બોર્ડ’ દ્વારા નાગરિકો સીધી કરી શકશે ફરિયાદ

નાગરિકોની સુવિધા માટે પાલિકાએ એક ઓનલાઈન ‘ડેશ બોર્ડ’ (Dash Board) તૈયાર કર્યું છે. આ ડેશ બોર્ડ પર તમારા વિસ્તારના રસ્તાનું કામ કયા કોન્ટ્રાક્ટરને અપાયું છે અને કયા એન્જિનિયર જવાબદાર છે, તેની સંપૂર્ણ માહિતી સંપર્ક નંબર સાથે ઉપલબ્ધ રહેશે. નાગરિકો કામની સ્થિતિ જાણી શકશે અને ડેશ બોર્ડ પર જ ફરિયાદ પણ નોંધાવી શકશે. ફરિયાદ માટે નાગરિકોએ પોતાનું નામ, નંબર અને ફરિયાદનું સ્વરૂપ આપવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.

ખાડા રિપેરિંગના ખર્ચમાં 70 ટકાનો તોતિંગ ઘટાડો

રસ્તાઓના કોંક્રિટીકરણને કારણે દર વર્ષે ખાડા રિપેર કરવા પાછળ થતા કરોડોના ખર્ચમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023-24માં આ ખર્ચ 202 કરોડ રૂપિયા હતો, જે 2025-26માં ઘટીને માત્ર 89 કરોડ રૂપિયા રહી ગયો છે. ચાલુ વર્ષે એટલે કે 2026 માં ખાડા રિપેરિંગનો (Pothole Repair) ખર્ચ અંદાજે 44 કરોડ રૂપિયા રહેવાની ધારણા છે, જે અગાઉની તુલનાએ 70 ટકા જેટલો ઓછો છે.

પ્રોજેક્ટની સમયમર્યાદા અને આયોજન

બીએમસીના આયોજન મુજબ, પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂરું થશે, જ્યારે બીજો તબક્કો મે 2027 સુધીમાં પૂર્ણ થશે. કમિશનર અશ્વિની ભિડેએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે કામની ગુણવત્તા (Quality) સાથે કોઈ બાંધછોડ ન થાય અને વરસાદ પહેલા મહત્તમ રસ્તાઓનું કામ પૂરું કરવામાં આવે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈમાં મુસાફરી અત્યંત ઝડપી અને સરળ બની જશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More