Site icon

Mumbai Railway station : મુંબઈના આ સાત રેલવે સ્ટેશનના નામ બદલાશે, વિધાન પરિષદમાં ઠરાવ મંજૂર; વાંચો યાદી

Mumbai Railway station : મધ્ય રેલવે પર કરી રોડ રેલવે સ્ટેશનનું નામ બદલીને લાલબાગ અને સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનનું નામ બદલીને ડોંગરી કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વે પરના મરીન લાઇન્સ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને મુંબાદેવી કરવામાં આવશે અને ચર્ની રોડ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ગિરગાંવ રેલ્વે સ્ટેશન કરવામાં આવશે.

Mumbai Railway station Legislative council approves resolution to change names of seven railway stations in Mumbai

Mumbai Railway station Legislative council approves resolution to change names of seven railway stations in Mumbai

 News Continuous Bureau | Mumbai

Mumbai Railway station :  મુંબઈના રેલવે સ્ટેશનોના નામ બદલવાના પ્રસ્તાવને ચોમાસુ સત્રમાં મંજૂરી આપવામાં આવી છે. નામ બદલવાની મંજૂરી માટે હવે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.  રાજ્ય સરકારને અંગ્રેજોના સમયના રેલવે સ્ટેશનોના નામ બદલવાનો અધિકાર છે. તેથી આ અંગેનો નિર્ણય અગાઉ કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો.  

Join Our WhatsApp Community

મંત્રી દાદા ભુસેએ વિધાન પરિષદમાં મુંબઈના સાત રેલવે સ્ટેશનોના નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેએ આ પ્રસ્તાવને ગૃહમાં મૂક્યા બાદ મંજૂરી આપી દીધી છે. તેથી હવે ટૂંક સમયમાં મુંબઈના રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેની તાકાત વધી, આ નેતાએ રાજ ઠાકરેને આપ્યો ઝટકો; જોડાયા ઉદ્ધવ સેનામાં..

મુંબઈના સાત રેલવે સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય રાજ્યની મહાગઠબંધન સરકાર દ્વારા થોડા મહિના પહેલા કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં મધ્ય રેલવેના 2, પશ્ચિમ રેલવેના 2 અને હાર્બર રેલવેના 3 સ્ટેશનોના નામ બદલવાના નિર્ણયને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, મુંબઈના આ સ્ટેશનના નામ બદલવાના પ્રસ્તાવને વિધાન પરિષદમાં મંજૂરી આપવામાં આવી છે.

 Mumbai Railway station : સ્ટેશનનું નામ શું હશે?

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
Exit mobile version