Site icon

મુંબઈ પોલીસ થઇ કડક- પરવાનગી વિના ફટાકડાના વેચાણ પર આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai

દિવાળી(Diwali) ના અવસર પર મુંબઈમાં પોલીસ(Mumbai Police) ની પરવાનગી વિના ફટાકડા(Fire craker)ના વેચાણ પર પ્રતિબંધ(Ban) રહેશે. મુંબઈ પોલીસે આ અંગે આદેશ જારી કર્યો છે. 

Join Our WhatsApp Community

દિવાળી દરમિયાન બજારોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ (sales) થાય છે. વિક્રેતાઓ દુકાનોની બહાર રસ્તાના ફૂટપાથ પર ચાદર લગાવીને ફટાકડા(Fire craker) વેચવાનું શરૂ કરે છે. પરવાનગી વગર આ રીતે ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર વેચાણનો(illegal sales) મામલો છે. એટલું જ નહીં મોટી આગની દુર્ઘટના અને જાન-માલનું(life and property) મોટું નુકસાન થવાની પણ સંભાવના છે. આવા વિક્રેતાઓ પાસે આ પ્રકારની ઘટનાઓ ટાળવા માટે સુરક્ષા સજ્જતા નથી. તેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે પરવાનગી વિના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ સમાચાર પણ વાંચો: નશામાં ધૂત યુવકનો સ્કાયવોકની છત પર હાઈવોલ્ટેજ ડ્રામા- પોલીસે આ રીતે બચાવ્યો- જુઓ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વીડિયો 

આ ઉપરાંત માહુલ ટર્મિનલ વિસ્તાર, ભારત પેટ્રોલિયમ(BP), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) BDU પ્લોટ વિસ્તાર, સ્પેશિયલ ઓઈલ રિફાઈનરી વિસ્તારના 15 થી 50 એકર વિસ્તારમાં રોકેટ કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ(Ban) લાદવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 14 નવેમ્બર 2022 સુધી અમલમાં રહેશે. 

મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય લાટકર(DCP Sanjay Latkar) દ્વારા જાહેર કરાયેલા આદેશમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, મુંબઈની શેરીઓ અને મુંબઈના ઉપનગરોમાં પોલીસ દ્વારા પરવાનગી વિના ફટાકડાનું વેચાણ, પ્રદર્શન અને પરિવહન પર પ્રતિબંધ છે. આ આદેશનો ભંગ કરનાર અને પરવાનગી વગર ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  

આ સમાચાર પણ વાંચો: માત્ર 12 કલાકમાં ગુજરાતની બે વખત ધ્રુજી- આ બે અલગ અલગ જગ્યાએ અનુભવાયા ભૂકંપના આંચકા- લોકો દોડ્યા ઘરની બહાર 

Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version