Mumbai traffic : દાદર મેટ્રો સ્ટેશનનું કામ શરૂ, આજથી ટ્રાફિક ડાયવર્ઝન આવ્યા અમલમાં; જાણો વૈકલ્પિક માર્ગ

Mumbai traffic : હાલમાં, મેટ્રો-3 કોરિડોરના પ્રથમ તબક્કા હેઠળ આરે અને BKC વચ્ચે મેટ્રોની ટ્રાયલ રન ચાલી રહી છે. આ દરમિયાન મેટ્રોને 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે અને તેના તમામ સાધનોની તપાસ કરવામાં આવી રહી છે. મેટ્રો ચલાવવાની સાથે સાથે સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેકનું ટેસ્ટિંગ વર્ક પણ ચાલી રહ્યું છે.

by kalpana Verat
Mumbai traffic Dadar Metro Station Work To Begin, Traffic Diversions To Be In Effect From today ; Check Details Here

 News Continuous Bureau | Mumbai

 Mumbai traffic : મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ( MMRCL ) એ મેટ્રો લાઈન – 3 એટલે કે દાદર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન ( Dadar Metro station ) નું બાંધકામ શરૂ કર્યું છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના આ નિર્માણ કાર્યને જોતાં દાદર ખાતે સ્ટીલમેન જંકશન, સેનાપતિ બાપટ રોડ, ગોખલે રોડ જેવા નિર્ણાયક સ્થળોએ કેટલીક જગ્યાઓ બંધ થવાથી વાહનોની અવરજવરને મોટાભાગે અસર થશે. એટલે મુંબઈ ટ્રાફિક પોલીસે નવું ટ્રાફિક ડાયવર્ઝન બહાર પાડ્યું છે. જે આજથી અમલમાં આવશે.

મેટ્રો 3 ના નિર્માણને કારણે ગોખલે રોડ અને આસપાસના વિસ્તાર માટે ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન

  • ગોખલે રોડ (  Gokhale Road ) ની ઉત્તર બાજુ – ગડકરી ચોકથી સ્ટીલમેન જંકશન  સુધી – તમામ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. દક્ષિણ તરફની લેન રાબેતા મુજબ ખુલ્લી રહેશે. જો કે, કોઈપણ અવરોધ વિના વાહન વ્યવહાર જાળવવા માટે રોડની બંને સીમા ને ‘નો-પાર્કિંગ’ તરીકે જાહેર કરવામાં આવશે.
  • સેનાપતિ બાપટ સ્ટેચ્યુ (સર્કલ) થી રાનડે રોડ પર સ્ટીલમેન જંકશન સુધી વાહનોને પ્રતિબંધિત કરવામાં આવશે કારણ કે તે વન-વે રહેશે.
  • પોર્ટુગીઝ ચર્ચથી ગોખલે રોડ પર ઉત્તર તરફ જતા વાહનો સ્ટીલમેન જંકશન પર ડાબો વળાંક લઇ અને રાનડે રોડ, દાદાસાહેબ રેગે રોડ, ગડકરી જંકશન થઈને આગળ વધશે. દાદર ટીટી તરફ જતા વાહનોએ સ્ટીલમેન જંકશનથી રાનડે રોડ થઈને જમણો વળાંક લઇ પનારી જંકશન પર ડાબે વળાંક લેશે અને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે NC કેલકર રોડ, કોટવાલ ગાર્ડન તરફ આગળ વધશે.

આ સમાચાર પણ વાંચો : આ નવા રેકોર્ડ સાથે ચાઈના મોબાઈલને પાછળ છોડીને રિલાયન્સ જિયો બની ગયું છે વિશ્વનું સૌથી મોટું મોબાઈલ ઓપરેટર.. જાણો વિગતે..

Mumbai traffic : આ ડાયવર્ઝનથી વાહનચાલકોને થશે હેરાનગતિ 

પહેલેથી જ ગીચ રસ્તા પરથી ટ્રાફિક ડાયવર્ઝનથી વાહનચાલકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં MMRCLને ડાયવર્ઝન કરવાની જોગવાઈ કરી છે. દાદરમાં મેટ્રો 3ના અન્ય સ્ટેશનો માહિમનું શીતલાદેવી મંદિર, દાદરમાં સિદ્ધિ વિનાયક અને વરલી હશે. 

Mumbai traffic :  મુંબઈ મેટ્રો-3 પ્રકલ્પની કુલ 33 કિમી હોઈ કુલ 27 સ્ટેશન

મેટ્રો 3, જેને MMRCL દ્વારા એક્વા લાઇન પણ કહેવામાં આવે છે. મુંબઈ મેટ્રો-3 પ્રકલ્પની કુલ 33 કિમી હોઈ કુલ 27 સ્ટેશન છે. પહેલાં તબક્કો આરેથી બીકેસી સુધીનો છે જેમાં 10 સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાંથી 26 ભૂગર્ભ અને એક એલિવેટેડ હશે. આરે કોલોની-બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) રૂટ પર ટ્રેનોનું સંકલિત પરીક્ષણ આવતા અઠવાડિયે ટૂંક સમયમાં શરૂ થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More