Site icon

પશ્ચિમ રેલવેએ આટલા બધા ટ્રેનના ડબ્બા મહારાષ્ટ્ર સરકારને હોસ્પિટલ તરીકે સોંપ્યા. યુનિયને કર્યો જોરદાર વિરોધ…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

   મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. પ્રશાસન અને વિશેષજ્ઞોના અથાગ પ્રયત્ન છતાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન જેવી સારવાર અર્થે ઉપયોગી વસ્તુઓની અછત સર્જાઇ રહી છે. આ મહામારીમાં મદદ કરવા માટે હવે રેલવે પ્રશાસને પણ પોતાનો હાથ આગળ વધાર્યો છે. વેસ્ટર્ન રેલ્વે એ મહારાષ્ટ્ર સરકારને પોતાના ટ્રેનના ડબ્બાઓને કોવિડ કેર સેન્ટર તરીકે આપ્યા છે.

  મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પર વેસ્ટર્ન રેલ્વે એ પોતાના વપરાશમાં ન આવતાં 21 રેલવે કોચને કોવિડ કેર કોચમાં ફેરવી દીધા છે. આ કોચમાં ગરમી અટકાવવા માટે બારીની બહાર વોટર કૂલર જેવી સગવડ પણ મુકવામાં આવી છે. આ સાથે દરેક બેડ માં ઓક્સિજન ની સુવિધા પણ આપવામાં આવી છે. જોકે ગુરુવાર સુધી દર્દીઓ માટે કોચ નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

શું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પંપ બંધ કરાવશે? આપ્યા આ સંકેત
 

    રેલવે પ્રશાસનના આ સહકારથી રેલ્વે યુનિયન રોષે ભરાયુ છે. રેલ્વે યુનિયનના એક સદસ્ય ના જણાવ્યા પ્રમાણે,  રેલવે કર્મચારીઓમાં પણ  કોરોના ફેલાતો જાય છે. રેલ્વે હોસ્પિટલો પણ અત્યારે દર્દીઓથી ભરાઈ ગઈ છે અને રેલવેના કર્મચારીઓ ની સુવિધા માટે કોવિડ કેર કોચ મુંબઈ ખાતે તેમના ઉપયોગ માટે લેવાના હતા. 

    ઉલ્લેખનીય છે કે, રેલવે એ તેમના 892 કોચને કોવિડ  કેર સેન્ટરમાં ફેરવ્યા છે. જે હજી સુધી વપરાશમાં આવ્યા નથી.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version