ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment