Site icon

મેટ્રો 4ના કામને લીધે મુંબઈના અનેક રસ્તા વાહનવ્યહારમાં મોટા ફેરબદલ કરાયા છે-જાણો ફેરબદલ અહીં

Two Mumbai Metro stations are now fully operated by women

લોકલના પગલે ચાલ્યું મુંબઈ મેટ્રો, નવી મેટ્રોના આ 2 સ્ટેશનનું સંચાલન હવે સંપૂર્ણ રીતે મહિલાઓના હાથમાં..

News Continuous Bureau | Mumbai

થાણે મહાનગરપાલિકાના(Thane Municipal Corporation) કાર્યક્ષેત્ર હેઠળ કાસારવડવલી ટ્રાફિક સબ-ડિવિઝનમાં(Kasarawadvali Traffic Sub-Division) મુંબઈ મેટ્રો લાઈન(Mumbai Metro Line)-4 પર કામ ચાલી રહ્યું છે. આ મેટ્રો 4 પિલર પર ઓવળા સિગ્નલથી CNG  પંપ સુધી ઘોડબંદર રોડ(Ghodbunder Road) પર ગર્ડર(girders) નાખવાનું  કામ કરવામાં આવવાનું છે. આ ગર્ડર નાખવા દરમિયાન થાણેથી ઘોડબંદર રોડ તરફનો રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.

Join Our WhatsApp Community

ડેપ્યુટી પોલીસ કમિશનર(Deputy Police Commissioner) દત્તાત્રય કાંબલેએ(Dattatraya Kamble) માહિતી આપી છે કે તેથી થાણે શહેરના ટ્રાફિક વિભાગે(Traffic department) ટ્રાફિકને ટાળવા માટે 10 ઓગસ્ટ, 2022 સુધી આ વિસ્તારમાં ટ્રાફિકમાં ફેરફાર કર્યો છે.

ટ્રાફિક ફેરફારો નીચે મુજબ છે –

1)પ્રવેશ બંધ – મુંબઈ-નાસિક હાઈવેથી(Mumbai-Nashik Highway) પર ઘોડબંદર રોડ તરફ જતા ભારે વાહનોને કપૂરબાવાડી જંક્શન પર "પ્રવેશ બંધ" કરવામાં આવ્યો છે.

વૈકલ્પિક માર્ગ – મુંબઈ થાણેથી ઘોડબંદર રોડ તરફ જતા ભારે વાહનો કપૂરબાવાડી ટ્રાફિક શાખા પાસે જમણો વળાંક લેશે અને ખારેગાંવ ટોલનાકા, માનકોલી, અંજુર ફાટા થઈને તેમના ગંતવ્ય તરફ આગળ વધશે. મુંબઈ થાણેથી ઘોડબંદર રોડ તરફ જતા ભારે વાહનો કપૂરબાવાડી જંક્શન પાસે જમણો વળાંક લેશે અને કશેલી, અંજુર ફાટા થઈને તેમના ગંતવ્ય સ્થાને જશે.

2) પ્રવેશ બંધ – મુંબ્રા, કલવાથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ  ભારે વાહનોને ખારેગાંવ ટોલ નાક પર 'એન્ટ્રી બંધ' કરવામાં આવી રહી છે.

વૈકલ્પિક માર્ગ – મુંબ્રા, કલવાથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ વાહનો ગૅમેન માર્ગે થઈને ખારેગાંવ ખાદી બ્રિજ થઈને ખારેગાંવ ટોલ નાકા, માનકોલી, અંજુરફાટા થઈને ઇચ્છિત ગંતવ્ય સ્થાને જશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો- રસ્તા પાછળ કરોડો ખર્ચયા બાદ હવે મુંબઈના રસ્તાઓના ખાડા પૂરવા BMC અજમાવશે આ ટેક્નોલોજી

3. પ્રવેશ બંધ – નાસિકથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ ભારે વાહનોને માનકોલી નાકા ખાતે 'પ્રવેશ બંધ' રહેશે.

વૈકલ્પિક માર્ગ- નાસિકથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ વાહનો મનકોલી બ્રિજ નીચે જમણો વળાંક લેશે અને અંજુરફાટા થઈને આગળ વધશે.

4. હેવી ડ્યુટી વાહનો સિવાયના અન્ય વાહનો પિલર નબર 24થી પિલર નંબર 26ના ગર્ડર નાખવા સુધી ઓવળા સિગ્નલ કટથી ડાબો વળાંક લઈને આગળ વિહંગ હિલ સોસાયટી કટ પાસે જમણો વળાંક લઈને મુખ્ય રસ્તાથી ઈચ્છિત સ્થળે જઈ શકશે.

5. પિલર નંબર 44 થી 45 નો ગર્ડર મૂકતી વખતે, વિહંગ હિલ સોસાયટી કટ લઈને ડાબી તરફ વળાંક લઈને  સર્વિસ રોડથી આગળ નાગલા બંદર સિગ્નલ કટ પાસે જમણો વળાંક લઈને મુખ્ય માર્ગ પર ઇચ્છિત ગંતવ્ય તરફ આગળ વધી શકાશે.

6. પીલર નં.69 થી 70 અને પિલર નં. 100 થી 101 ના ગર્ડરો નાખતી વખતે, નાગલા બંદર સિગ્નલ કટથી ડાબો વળાંક લઈને સર્વિસ રોડથી આગળ CNG  પંપ પાસે કટ લઈને આગળ જમણો વળાંક લઈને મુખ્ય રસ્તાથી ઇચ્છિત સ્થળે જઈ શકાશે.

મેટ્રો ગર્ડર નાખવાનું કામ નીચેના સમય દરમિયાન ચાલુ રહેશે

1.  30 જુલાઈ, 2022ના રાતના  23.55 કલાકથી 31 જુલાઈ, 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી રહેશે.

2. 1લી ઓગસ્ટ, 2022ના રાતના 23.55 કલાકથી 02 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી

3. 3 ઓગસ્ટના, 2022 રાતના 23.55 કલાકથી 04 ઓગસ્ટના, 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી

4. 5 ઓગસ્ટ, 2022  રાતના 23.55 કલાકથી  6 ઓગસ્ટ 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી

5. 7 ઓગસ્ટના 2022 રાતના 23.55 કલાકથી 8 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી

6. 9 ઓગસ્ટના 2022 રાતના 23.55 કલાકથી 10 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 04.00 વાગ્યા સુધી

વાહનવ્યવહાર(Transportation) વિભાગે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી ગર્ડરો નાખવાનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિકમાં આયોજનબદ્ધ ફેરફાર કરવામાં આવશે.
 

Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.
Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.
Railway Police Recruitment Death Mumbai: રેલવે પોલીસ ભરતીમાં દોડ બાદ ઉમેદવારનું કરુણ મોત: ૧૬૦૦ મીટરની કસોટી પૂર્ણ કર્યા બાદ યુવાન ઢળી પડ્યો; બુલઢાણાના પરિવારમાં માતમ.
Janvi Mistry Death Case Mumbai: જાનવી મિસ્ત્રી ડેથ કેસમાં મોટો ચુકાદો: બેદરકાર ઘોડા ચાલકને ૨ વર્ષની જેલની સજા; લાયસન્સ વગરની પ્રવૃત્તિઓ પર કોર્ટની લાલબત્તી.
Exit mobile version