Site icon

સોમવારના મહારાષ્ટ્ર બંધને પગલે રાજયને અબજોનું થયું નુકસાન; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસાચારની ઘટનાના વિરોધમાં સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષોએ જાહેર કરેલા રાજવ્યાપી બંધને કારણે મહારાષ્ટ્રને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.  આ બંધને રાજયમાં કેટલાક ઠેકાણે સંપૂર્ણ તો અમુક જગ્યાએ સંમિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક જગ્યાએ જોકે છૂટક બનાવ બન્યા હતા. સત્તાધારી પાર્ટીએ રાજયમાં 100 ટકા બંધ સફળ થયો હોવાનો દાવો કર્યો હતો. બંધને પગલે મુંબઈમાં બેસ્ટની બસને તો રાજયમાં અનેક ઠેકાણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને નુકસાન થયું હતું. આ બંધને કારણે દુકાનો સહિત વેપારધંધા બંધ રહેવાને કારણે સમગ્ર રાજયમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે મુંબઈ સહિત રાજ્યને કેટલું આર્થિક નુકસાન થયું હતું, તેનો ચોક્કસ આંકડો મોડી સાંજ સુધી કદાચ બહાર પડે એવી શક્યતા છે. 

હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version