Site icon

આજથી લોકલ ટ્રેન શરૂ, પણ જો કરી આ ભૂલ તો 200 રૂપિયા દંડ સાથે એક મહિનાની જેલ. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01 ફ્રેબ્રુઆરી 2021

મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે શરૂ થઈ ગઈ છે. જોકે આ માટેના સમય નિર્ધારિત કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે…

સામાન્ય જનતા માટે લોકલ ટ્રેનો ત્રણ-સમયના સ્લોટમાં ઉપલબ્ધ રહેશે: દિવસની સેવાઓ શરૂ થતાંથી સવારે 7 વાગ્યા સુધી; બપોરે 12: 00 થી 4: 00; અને દિવસના અંત સુધી 9:00 વાગ્યે. મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7:00 થી બપોરે 12:00 અને બપોરના 4:00 થી 9:00 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકોને જ મુસાફરી કરવાની છૂટ રહેશે.

આ સમય પત્રક સાથે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે સામાન્ય માણસ દ્વારા સમય પત્રક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશે તો તેને તેના પરિણામ ભોગવવા પડશે. 

રેલવે પ્રશાસને એક વાત સ્પષ્ટ કરી છે કે સવારે સાત વાગ્યાનો અર્થ એ થાય છે કે જે તે વ્યક્તિએ 7:00 કલાકે ટ્રેનમાંથી ઉતરી જવાનું રહેશે. જો તે વ્યક્તિ સાત વાગ્યે સફર શરૂ કરે અને ગંતવ્ય સ્થાન ઉપર સાત વાગ્યા પછી પહોંચે અને તે સમયે જો તે પકડાઈ જાય તો તેની દલીલ માન્ય રહેશે નહીં. વાત બહુ સ્પષ્ટ છે કે સામાન્ય માણસે જે પરમીટ કેટેગરીમાં નથી આવતો તેણે પરમીટ સમયમર્યાદાની બહાર ટ્રેનમાં સફર નથી કરવાનું. આ માટે ટ્રેન લેટ હતી, હું સાત વાગ્યા પહેલા ટ્રેનમાં ચડી ગયો હતો, મને ખબર નહોતી, થોડુંક તો ચાલે ને…. આવા પ્રકારની દલીલો માન્ય નહીં રાખવામાં આવે. જે વ્યક્તિ પકડાશે તેને 200 રૂપિયા દંડ અને એક મહિના જેલમાં રહેવાની સજા થઈ શકે છે.

 

Mysterious Death in Mumbai: ગોવંડીમાં કારમાંથી મળી આવ્યો પુરુષનો રહસ્યમય મૃતદેહ: હત્યા કે આત્મહત્યા? પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં
Medical Student Suicide Mumbai: મુંબઈમાં મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાત: 6 પાનાની સુસાઈડ નોટમાં પ્રેમીનો ત્રાસ અને ‘શ્રદ્ધા વાલકર’ જેવો ડર વ્યક્ત કર્યો
Malad Extortion: મલાડ ખંડણી કેસમાં મોટો ખુલાસો: બિશ્નોઈ ગેંગના નામે ₹5 કરોડ માંગનાર સગો ભત્રીજો જ નીકળ્યો, ગુરુગ્રામથી થઈ ધરપકડ
Sunetra Pawar: નોકરી કરતી મહિલાઓ માટે મોટા સમાચાર! મુંબઈમાં લાગુ થશે ‘કમ અર્લી-ગો અર્લી’ નિયમ; સુનેત્રા પવારની જાહેરાતથી મહિલા કર્મચારીઓમાં આનંદની લહેર
Exit mobile version