209
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ
રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે કે નાઈટ કર્ફ્યુનો કોઈપણ પ્રકારનો અસર લોકલ ટ્રેનની સર્વિસ પર નહીં થાય. ગત દિવસો દરમિયાન એવી અફવા ઉડી હતી કે નાઈટ કર્ફ્યુ ને કારણે સામાન્ય માણસ માટે લોકલ ટ્રેન નું સફર બપોરે ૧૨થી સાંજે ચાર વાગ્યા સુધી જ થઈ શકશે.

આનું પ્રમુખ કારણ એવું છે કે લોકલ ટ્રેન માંથી એક સાથે બહુ મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે અને ત્યારે ગિરદી નું દ્રશ્ય સર્જાય છે. આ પરિસ્થિતિમાં નાઈટ કર્ફ્યુનો કોઈ મતલબ રહેતો નથી. જોકે હવે આ સંદર્ભે રેલવે પ્રશાસનને સ્પષ્ટતા કરી છે જેને કારણે લોકોએ રાહતનો દમ લીધો છે.
You Might Be Interested In