299
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર .
મહારાષ્ટ્રના બીજેપીના ધારાસભ્ય અને ઉત્તર ભારતીય સંઘ મુંબઈના પ્રમુખ આરએન સિંહનું નિધન થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરએન સિંહ તેમનો 74મો જન્મદિવસ ઉજવીને પરિવાર સાથે મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોરખપુર એરપોર્ટ પર તેમનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે થોડા મહિના પહેલા જ તેમનું હૃદયનું ઓપરેશન થયું હતું
તેઓ ઉત્તર ભારતીય સંઘના પ્રમુખ પણ હતા, જે મુંબઈમાં હિન્દી ભાષી લોકોની સર્વોચ્ચ સંસ્થા છે.
બરહાલગંજના ભરૌલી ગામના રહેવાસી આરએન સિંહ બોમ્બે ઈન્ટેલિજન્સ સિક્યોરિટી (BIS)ના અધ્યક્ષ હતા.
ઓમિક્રોનના ખૌફ! ભારતમાં ફરી એકવાર આવ્યો આંશિક લોકડાઉનનો યુગ, આ રાજ્યમાં લાગ્યા કડક પ્રતિબંધ; જાણો વિગતે
You Might Be Interested In