News Continuous Bureau | Mumbai
Sahara Refund Portal: સહારા ઈન્ડિયા ( Sahara India ) પરિવારના સ્થાપક સુબ્રત રોય ( Subrata Roy ) નું મુંબઈ ( Mumbai ) માં 75 વર્ષની વયે અવસાન ( passed away ) થયું છે. 14 નવેમ્બરે રાત્રે 10.30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સુબ્રત રોય, જેઓ 1978 માં બિહાર ( Bihar ) ના અરરિયા જિલ્લામાંથી ગોરખપુરથી આવ્યા હતા અને 2000 રૂપિયામાં બિસ્કિટ અને નમકીન વેચવાનું શરૂ કરનાર સુબ્રત રોયે કંપનીને 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંડવા માટે એક સ્વપ્ન સફર પર ખેડી હતી. તેમણે સહારાને રેલવે પછી સૌથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની બનાવી હતી. પરંતુ, એક ભૂલને કારણે તેમને જેલમાં જવું પડ્યું અને તેમણે કંપનીને તેની સામે ખાડામાં જતી પણ જોઈ. જો તમે પણ સહારાની કોઈ સ્કીમમાં પૈસા રોક્યા હોય તો જાણો કેવી રીતે તમે ઘરે બેઠા તમારા પૈસા પાછા મેળવી શકો છો.
सहारा श्री सुब्रत रॉय जी का निधन उत्तर प्रदेश और देश के लिए भावात्मक क्षति हैं क्योंकि वो एक अति सफल व्यवसायी के साथ-साथ एक ऐसे अति संवेदनशील विशाल हृदयवाले व्यक्ति भी थे जिन्होंने अनगिनत लोगों की सहायता की उनका सहारा बने।
भावभीनी श्रद्धांजलि! pic.twitter.com/Gdhmy5mDs8
— Akhilesh Yadav (@yadavakhilesh) November 14, 2023
સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને 2008 અને 2011 વચ્ચે OFCD દ્વારા ત્રણ કરોડથી વધુ રોકાણકારો પાસેથી રૂ. 17,400 કરોડ એકત્ર કર્યા હતા. સપ્ટેમ્બર 2009માં, સહારા પ્રાઇમ સિટીએ આઇપીઓ લોન્ચ કરવા માટે સેબી પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા. અનિયમિતતાની શંકા અને રોકાણકારની ફરિયાદને કારણે, સેબીએ ઓગસ્ટ 2010માં બંને કંપનીઓની તપાસનો આદેશ આપ્યો હતો. આ પછી કંપનીમાં લગભગ ત્રણ કરોડ રોકાણકારોના પૈસા ફસાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ World Cup 2023: આજે ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપની પ્રથમ સેમી ફાઇનલ, બંને ટીમો વચ્ચે વાનખેડેમાં જામશે ભારે રસાકસી..જુઓ સંભવિત ટીમ…
સહારા રિફંડ પોર્ટલ દ્વારા લગભગ 2.5 કરોડ લોકોને ફાયદો થશે….
સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે જુલાઈમાં CRCL-સહારા રિફંડ પોર્ટલ (Sahara Refund Portal) શરૂ કર્યું હતું. જે લોકોએ 22 માર્ચ, 2022 પહેલા સહારામાં રોકાણ કર્યું છે તેઓ આ પોર્ટલ દ્વારા રિફંડ મેળવી શકે છે. પોર્ટલ પર રજીસ્ટ્રેશનની સાથે જ તમારો મોબાઈલ ફોન આધાર સાથે લિંક હોવો જરૂરી છે. આ સિવાય આધાર નંબર પણ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ. આ પછી, તમે પોર્ટલ પર જઈ શકો છો અને તમારી રસીદ અપલોડ કરી શકો છો અને રિફંડ મેળવી શકો છો.
આ પોર્ટલ પરથી રિફંડ મેળવવા માટે, તમારે સહારામાં રોકાણ કરેલ સભ્યપદ નંબર, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર લિંક્ડ મોબાઈલ નંબર, પાસબુક, પાન કાર્ડ (જો રકમ રૂ. 50 હજારથી વધુ હોય તો) આપવી પડશે. આ દસ્તાવેજો તપાસ્યા પછી, 45 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી જશે. આ પોર્ટલ દ્વારા લગભગ 2.5 કરોડ લોકોને ફાયદો થશે.