મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના નિશાન પર રહેલા સમીર વાનખેડેની NCBમાંથી વિદાય, ન મળ્યું એક્સટેન્શન; હવે આ વિભાગમાં કરશે કામ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર 

મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસના કારણે ચર્ચામાંઆવનાર NCB અધિકારી સમીર વાનખેડેને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને એનસીબીમાં આગળ એક્સટેન્શન મળ્યું નથી. 

હવે ફરી એકવાર તેમને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે. 

એનસીબીમાં વાનખેડેનું 4 મહિનાનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ ગયું છે.

અગાઉ સમીર વાનખેડે આ જ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.  

મુંબઈમાં કોરોનાનું સંકટ : શહેરમાં મનપાનો 1લીથી 8મી સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય, આ તારીખ સુધી શાળાઓ રહેશે બંધ; વિગતવાર વાંચો અહીં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More