આઘાતજનક! દહિસરમાં ભરદિવસે એક જ્વેલરની ગોળી મારી હત્યા થઈ, જાણો શું છે સમગ્ર ઘટના

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

ગુરુવાર

દહિસરમાં એક આઘાતજનક ઘટના બની હતી. ભરદિવસે અહીં એક જ્વેલરની હત્યા કરવામાં આવી હતી. દહિસર પૂર્વમાં રાવલપાડા વિસ્તારના એક જ્વેલરની દુકાનમાં આ ઘટના બની હતી. સવારે પોણા અગિયાર આસપાસ ત્રણ શખ્સો આવ્યા હતા અને દુકાનદારને ભરદિવસે ગોળી મારી દીધી હતી.

આ ત્રણેય આરોપીઓ ઍક્ટિવા પર આવ્યા હતા. દુકાનદારને ગોળી માર્યા બાદ ત્રણેય આરોપીઓએ દુકાનમાંથી બે મોટી બૅગ ભરી માલ લૂંટ્યો હતો અને લઈને નાસી ગયા હતા. આ ઘટનામાં દુકાનદારનું મોત નીપજ્યું છે. દિન દહાડે બનેલી આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

મુંબઈમાં આજે ફરી એકવાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે

ઉચ્ચ પોલીસ કમિશનર દિલીપ સાવંત અને ડીસીપી સ્વામીએ ઘટનાની તપાસમાં દરમિયાનગીરી કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપી ઍક્ટિવાથી ભાગી છૂટેલા ત્રણેય વ્યક્તિના ફોટા CCTV કૅમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટના બાદથી આ વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. ફક્ત લૂંટના હેતુથી કે અંગત કારણોસર આ ઘટના બની છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More