વર્ષ 2020 માં મુંબઈમાં મૃત્યુઆંકમાં થયો આટલા ટકાનો વધારો, મૃત્યુનું કારણ અજ્ઞાત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

બુધવાર

મુંબઈમાં થયેલ મૃત્યુના આંકડાનો પ્રજા ફાઉન્ડેશન દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2020 દરમિયાન મુંબઈમાં કુલ 1 લાખ 12 હજાર 906 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 11 હજાર 116 એટલે કે 10 ટકા મૃત્યુ કોરોનાને કારણે થયા છે, તેમ દર્શાવવામાં આવ્યું છે અને

વર્ષ 2019માં 91 હજાર 223 કોવિડ દર્દીઓના મોત થયા હતા. 2020 ની સરખામણી એ મૃત્યુદર માં 12 ટકાનો વધારો થયો છે. જો કે જાન્યુઆરી 2020થી થયેલ મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી.

પ્રજા ફાઉન્ડેશનના ડિરેક્ટર મિલિન્દ મ્હસ્કેએ એક મીડિયાહાઉસને જણાવ્યું હતું કે, 'મ્યુનિસિપલ હેલ્થ સર્વિસની સ્થિતિ સમગ્ર વર્ષ દરમિયાન ભારે સુધરી છે અને રોગચાળાના નિયંત્રણોને કારણે મૃત્યુની નોંધ લેવાનું શક્ય થયું નથી.'

પ્રગટ કરેલા અહેવાલમાં, મુંબઈમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અને આરોગ્યની સ્થિતિ સુધારવા માટે નિર્ધારિત સસ્ટનેબલ વિકાસ લક્ષ્યોના ઉદ્દેશોનો સમાવેશ થયેલ છે.

આમ આદમીને મોંઘવારીની થપાટ, આજે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલના, મુંબઈમાં કેટલે રૂપિયે પહોંચ્યા ઇંધણના ભાવ 
 

હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ અનુસાર, 2019 થી 2020 વચ્ચે મોટી બીમારીઓની ઘટનામાં 29 ટકાનો ઘટાડો થયો છે. લોકોએ કોવિડ-19 ના લીધે તંદુરસ્ત ટેવો અને સારા સ્વાસ્થ્યને મહત્વ આપ્યું  છે.

પ્રજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નીતાઇ મહેતાએ જણાવ્યું હતું કે, રોગચાળાએ આરોગ્ય ડેટાના સંચાલન, આરોગ્ય માનવશક્તિના અપેક્ષિત સ્તર અને પ્રાથમિક આરોગ્ય સંભાળ માટે સક્ષમ માળખાગત સુવિધાના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું.

હિલિસ સેખસરિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થના ડિરેક્ટર મંગેશ પેડનેકરે જણાવ્યું હતું કે મુંબઈમાં આરોગ્ય માટે નાણાકીય જોગવાઈ હંમેશા યોગ્ય રીતે કરવામાં આવે છે.  2021-22 માટે કુલ નાણાકીય બજેટના 12 ટકા (રૂ. 39,038.83 કરોડ જાહેર આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવ્યા છે.

2021-22ના કુલ આરોગ્ય બજેટના માત્ર 20 ટકા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે ફાળવવામાં આવ્યા હતા. તેમાં મ્યુનિસિપલ હોસ્પિટલો, પ્રસૂતિ ગૃહો અને પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડતા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે.

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે મ્યુનિસિપલ હોસ્પિટલો લાંબા સમય સુધી ચાલવી જોઈએ. આ સંદર્ભે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી છે અને હાલમાં 15 સ્થળોએ 14 કલાકની સેવા ઉપલબ્ધ છે. આ ફેરફાર આવકાર્ય છે અને અન્ય હોસ્પિટલોમાં પણ અપનાવવાની જરૂર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More