યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આવતીકાલે રવિવારની રજા દિવસે ગણપતિબાપ્પાના દર્શને (Ganapati bappa's darshan) જવાનો વિચાર કરો છો તો જમ્બો બ્લોકને(jumbo block) ધ્યાનમાં રાખીને ઘરેથી નીકળજો. રવિવારે વેસ્ટર્ન રેલવેમાં (Western Railway) સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશન(Santacruz and Goregaon stations) વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લોક રાખવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની(Track, signaling and overhead equipment) જાળવણીનું કામ કરવા માટે, સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો(Santacruz and Goregaon stations) વચ્ચે UP અને DOWN ધીમી લાઇન પર 4 સપ્ટેમ્બર, 2022, રવિવારના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, બ્લોક સમયગાળા દરમિયાન સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે તમામ ડાઉન સ્લો લાઇનની ઉપનગરીય ટ્રેનો ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે અને તમામ UP સ્લો લાઇનની ઉપનગરીય ટ્રેનો UP ફાસ્ટ પર ચલાવવામાં આવશે.. બધી ધીમી ઉપનગરીય સેવાઓ વિલે પાર્લે સ્ટેશન પર ડબલ હોલ્ટનો લાભ લેશે અને ફાસ્ટ લાઈનો પર પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે બંને દિશામાં રામ મંદિર સ્ટેશન પર (Ram Mandir Station) રોકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  AC લોકલના દોડાવવાના વિવાદમાં હવે રાષ્ટ્રવાદીના આ દિગ્ગજ નેતાએ ઝુકાવ્યું-કહ્યું ભાડા સામાન્ય લોકોના ગજા બહાર

અહીં ઉલ્લેખનીય છે કે ગણેશોત્સવ (Ganesha Festival) ચાલી રહ્યો હોઈ મોટી સંખ્યામાં લોકો ગણપતિના દર્શન માટે બહાર નીકળી શકે છે અને લોકોના ઘસારાન જોતા સેન્ટ્રલ રેલવેએ(Central Railway) રવિવારના કોઈ બ્લોક રાખ્યો નથી. તેની સામે વેસ્ટર્ન રેલવેમાં પાંચ કલાકનો બ્લોક રાખવામાં આવ્યો હોવાથી ગણેશભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More