Site icon

બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે પશ્ચિમ રેલ્વે, સુપરફાસ્ટ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે. જાણો વિગત અહીં.

પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળોએ 28 જોડી સમર સ્પેશિયલ ટ્રેનોની 1284 ટ્રીપ ચલાવવામાં આવી રહી છે.

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે અને વધુ મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળોએ 1284 ટ્રીપ સાથે 28 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. તેમાંથી 7 જોડી ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યો માટે છે, જ્યારે 4 જોડી ટ્રેન દિલ્હી અને તેનાથી આગળની છે. ગુજરાત માટે 7 જોડી ટ્રેનો, રાજસ્થાન માટે 5 જોડી ટ્રેન, ઉત્તર-પૂર્વ માટે 1 જોડી અને દક્ષિણ ભારત માટે 3 જોડી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

મુસાફરોની સુવિધા માટે સુરત/ઉધનાથી 4 જોડી ઓરિજિનેટિંગ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે જ્યારે અમદાવાદ, ગાંધીધામ, વલસાડ, ઓખા વગેરે જેવા ગુજરાતના અન્ય સ્ટેશનો પરથી 14 જોડી ઑરિજિનેટિંગ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે ટ્રેનોની પ્રતિક્ષા યાદીનું વાસ્તવિક સમયના આધારે દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે સમય સમય પર હાલની ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવે છે. તે મુજબ સ્પેશિયલ ટ્રેનોનું પણ આયોજન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: કોરોના પછી કેળાની માંગ 20 લાખ ટન જેટલી વધી, નિકાસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 70%

બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ [20 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 27મી એપ્રિલ, 2023થી 29મી જૂન, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગાંધીધામથી દર ગુરુવારે 00.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 એપ્રિલ 2023 થી 29 જૂન 2023 સુધી ચાલશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભચાઉ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09415 અને 09416 માટે બુકિંગ 21મી એપ્રિલ, 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Kurla Minor Murder Case Mumbai: મુંબઈમાં લોહિયાળ ખેલ: કુર્લામાં રિક્ષાની સીટના વિવાદમાં સગીરે યુવકની ગળું કાપીને કરી હત્યા
Worli Email Tampering Fraud: વરલીમાં ઈમેલ ટેમ્પરિંગ દ્વારા કંપની સાથે ₹૨૧ લાખની છેતરપિંડી: સાયબર માફિયાઓએ બેંકની વિગતો બદલી ખેલ પાડ્યો
Mumbai ACB Trap Khar Police: મુંબઈમાં ACBનો સપાટો: ખાર પોલીસ સ્ટેશનના API ₹૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Dahisar Bus Fire Near Petrol Pump: દહિસરમાં પેટ્રોલ પંપ પાસે લક્ઝરી બસમાં ભીષણ આગ: મોટી હોનારત ટળી, એસ.વી. રોડ પર અફરાતફરી
Exit mobile version