News Continuous Bureau | Mumbai
Western Railway : આજે વાનખેડે ફૂટ ઓવરબ્રિજ (દક્ષિણ) ના મુખ્ય ગર્ડર્સને ડી-લોન્ચ કરવા માટે લેવામાં આવશે. આ કામ માટે ચર્ચગેટ ( Churchgate ) અને મરીન લાઇન્સ સ્ટેશનો વચ્ચે 25/26 મે, 2024 (શનિવાર/રવિવાર) ની મધ્યરાત્રિ 01.10 કલાકથી 04.10 કલાક સુધી ત્રણ કલાકનો મોટો બ્લોક લેવામાં આવશે.. બ્લોક દરમિયાન મુંબઈ ( Mumbai news ) ની કેટલીક ઉપનગરીય ટ્રેનો શોર્ટ ટર્મિનેટ થઈ જશે.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આ સમાચાર પણ વાંચો: Caught on Camera: ફિલ્મના સીન પણ ફિક્કા પડે એવી ચોરી, ચાલતી ટ્રકમાંથી આ રીતે 3 બદમાશોએ ખેલ પાડી દીધો.. જુઓ વિડીયો
25/26 મે, 2024 ના રોજ મુંબઈ ઉપનગરીય ટ્રેન સેવાઓ પર અસર:-
- ટ્રેન નંબર 91014 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ 00.10 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિથશે.
- ટ્રેન નંબર 91018 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.49 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન નંબર 91020 બોરીવલી-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.30 કલાકે બોરીવલીથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન નંબર 91024 વિરાર-ચર્ચગેટ લોકલ 26મી મે, 2024ના રોજ સવારે 00.05 કલાકે વિરારથી ઉપડતી મુંબઈ સેન્ટ્રલ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
- ટ્રેન નંબર 90011 ચર્ચગેટ-વિરાર 1 લોકલ 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.15 કલાકે ઉપડનારી લોકલ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને મુંબઈ સેન્ટ્રલ 04.25 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 90015 ચર્ચગેટ-બોરીવલી લોકલ જે 26મી મે, 2024ના રોજ ચર્ચગેટથી 04.18 કલાકે ઉપડશે તે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે અને મુંબઈ સેન્ટ્રલથી 04.28 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 91012 વિરાર-ચર્ચગેટ લોકલ 25મી મે, 2024ના રોજ 23.30 કલાકે વિરારથી ઉપડતી ચર્ચગેટ 01.10 કલાકે પહોંચશે. 25 મે, 2024ના રોજ વિરારથી ચર્ચગેટ સુધી દોડનારી આ છેલ્લી લોકલ હશે.