Site icon

Dahisar Toll Naka : દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે? શિંદે સામે ટોલનો મુદ્દો

Dahisar Toll Naka : પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ટોલ નાકાને ખસેડવાની કરી માંગણી, મીરા-ભાઈંદરના નાગરિકોને ટ્રાફિક અને પ્રદૂષણથી મળશે રાહત

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

News Continuous Bureau | Mumbai

Dahisar Toll Naka : મીરા-ભાઈંદર શહેરના પ્રવેશદ્વાર પર આવેલો દહીંસર ટોલ નાકા (Dahisar Toll Naka) નાગરિકો માટે ટ્રાફિક જામ, પ્રદૂષણ અને ઈંધણના બગાડનું મુખ્ય કારણ બની ગયો છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) આ મુદ્દો ઉઠાવ્યો છે અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) આવેદનપત્ર આપ્યું છે.

Join Our WhatsApp Community

ટોલ નાકાને ખસેડવાની માંગણી

પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) માંગણી કરી છે કે વર્તમાન ટોલ નાકાને ૨ કિલોમીટર આગળ વેસ્ટર્ન હોટેલ (Western Hotel) સામે ખસેડવામાં આવે. તેમણે કહ્યું કે, “આ ટોલ નાકાને કારણે મીરા-ભાઈંદરના ૧૫ લાખ નાગરિકો, રોજ મુંબઈ જતા મુસાફરો અને હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.” આનાથી મુસાફરીનો સમય વધે છે, ઈંધણનો બગાડ થાય છે અને પ્રદૂષણનું સ્તર પણ વધે છે.

આ સમાચાર પણ વાંચો : BMC: મુંબઈમાં ૭૮૪ સંસ્થાઓ પોતાના કચરા પર પ્રક્રિયા કરે છે; BMC હવે તેમને આપશે આ વસ્તુ માં રાહત

શિંદે નો જૂનો નિર્ણય

આ અંગે સરનાઈકે શિંદેને યાદ અપાવ્યું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના અનેક ટોલ નાકા (toll naka) રદ કર્યા હતા અને નાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપી હતી. નાગરિકોએ તેમના આ નિર્ણયનું ખૂબ સ્વાગત કર્યું હતું.

જો માંગણી સ્વીકારાય તો…

જો આ માંગણી સ્વીકારવામાં આવે તો, મીરા-ભાઈંદર (Mira-Bhayander) અને મુંબઈ (Mumbai) વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે, ટ્રાફિકનો ભાર ઓછો થશે અને નાગરિકોને ટોલ-મુક્ત મુસાફરીનો અનુભવ થશે. હવે સૌની નજર શિંદેની બેઠક પર છે, કારણ કે જો આ નિર્ણયને મંજૂરી મળે તો મુંબઈના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version