Site icon News Continuous Bureau | Mumbai

Dahisar Toll Naka : દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે? શિંદે સામે ટોલનો મુદ્દો

Dahisar Toll Naka : પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ટોલ નાકાને ખસેડવાની કરી માંગણી, મીરા-ભાઈંદરના નાગરિકોને ટ્રાફિક અને પ્રદૂષણથી મળશે રાહત

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

દહીંસર ટોલ નાકાને હટાવવાથી ટ્રાફિક જામની સમસ્યા હલ થશે શિંદે સામે ટોલનો મુદ્દો

News Continuous Bureau | Mumbai

Dahisar Toll Naka : મીરા-ભાઈંદર શહેરના પ્રવેશદ્વાર પર આવેલો દહીંસર ટોલ નાકા (Dahisar Toll Naka) નાગરિકો માટે ટ્રાફિક જામ, પ્રદૂષણ અને ઈંધણના બગાડનું મુખ્ય કારણ બની ગયો છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) આ મુદ્દો ઉઠાવ્યો છે અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને (Eknath Shinde) આવેદનપત્ર આપ્યું છે.

Join Our WhatsApp Channel

ટોલ નાકાને ખસેડવાની માંગણી

પ્રતાપ સરનાઈકે (Pratap Sarnaik) માંગણી કરી છે કે વર્તમાન ટોલ નાકાને ૨ કિલોમીટર આગળ વેસ્ટર્ન હોટેલ (Western Hotel) સામે ખસેડવામાં આવે. તેમણે કહ્યું કે, “આ ટોલ નાકાને કારણે મીરા-ભાઈંદરના ૧૫ લાખ નાગરિકો, રોજ મુંબઈ જતા મુસાફરો અને હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.” આનાથી મુસાફરીનો સમય વધે છે, ઈંધણનો બગાડ થાય છે અને પ્રદૂષણનું સ્તર પણ વધે છે.

આ સમાચાર પણ વાંચો : BMC: મુંબઈમાં ૭૮૪ સંસ્થાઓ પોતાના કચરા પર પ્રક્રિયા કરે છે; BMC હવે તેમને આપશે આ વસ્તુ માં રાહત

શિંદે નો જૂનો નિર્ણય

આ અંગે સરનાઈકે શિંદેને યાદ અપાવ્યું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના અનેક ટોલ નાકા (toll naka) રદ કર્યા હતા અને નાના વાહનોને ટોલમાંથી મુક્તિ આપી હતી. નાગરિકોએ તેમના આ નિર્ણયનું ખૂબ સ્વાગત કર્યું હતું.

જો માંગણી સ્વીકારાય તો…

જો આ માંગણી સ્વીકારવામાં આવે તો, મીરા-ભાઈંદર (Mira-Bhayander) અને મુંબઈ (Mumbai) વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે, ટ્રાફિકનો ભાર ઓછો થશે અને નાગરિકોને ટોલ-મુક્ત મુસાફરીનો અનુભવ થશે. હવે સૌની નજર શિંદેની બેઠક પર છે, કારણ કે જો આ નિર્ણયને મંજૂરી મળે તો મુંબઈના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version