Lok Sabha Elections: સુરતના ૯ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૫૨ શતાયુ મતદારો લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવશે

Lok Sabha Elections: તા.૭મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવી સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૫,૦૭૯ વરિષ્ઠ મતદારો.

by Hiral Meria
252 centenarian voters over 100 years of age in 9 assembly constituencies of Surat will vote and participate in the Mahaparva of Democracy.

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections: ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. 

                 ( Surat )  સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય બારડોલી અને નવસારી સંસદીય ક્ષેત્રોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં અદ્યતન મતદાર યાદી ઉપરોક્ત ૯ વિધાનસભાઓમાં ૨૫૨ શતાયુ મતદારો તેમજ ૮૫ વર્ષથી વધુના ૧૫,૦૭૯ મતદારો નોંધાયા છે. ભારતના ચૂંટણી પંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરી છે, જેથી વડીલ મતદાતાઓને મતદાન માટે વધુ સુવિધા મળી છે. તેઓ મતદાન ( Voting ) મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકે એવી કાળજી લેવામાં આવે છે.  

               આગામી તા.૭મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવા માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ( assembly constituencies ) ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૧૦ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૪ શતાયુ મતદારો, આ મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ૧૦૦ વર્ષથી વધુ વય (શતાયુ) ધરાવતા મતદારો અનુક્રમે માંડવી વિધાનસભામાં ૧૯૮૮ તથા ૩૭, કામરેજ વિધાનસભામાં ૧૬૯૮ અને ૨૬, બારડોલી વિધાનસભામાં ૧૭૩૩ અને ૧૭, મહુવા વિધાનસભામાં ૨૩૬૫ અને ૫૪ વરિષ્ઠ મતદારો લિંબાયત વિધાનસભામાં ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસભામાં ૭૧૯ અને ૦૫, મજુરા વિધાનસભામાં ૨૪૪૩ અને ૩૯ તેમજ ચોર્યાસી વિધાનસભામાં ૧૫૭૪ અને ૨૮, મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. 

આ સમાચાર પણ વાંચો :  MP Srinivas Prasad:જિંદગીની જંગ હારી ગયા ભાજપના સાંસદ, ઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું વી શ્રીનિવાસ પ્રસાદનું નિધન.. .

              ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને નાગરિકકેન્દ્રી બનાવવાના હેતુ સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો ( Senior citizens ) માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like