News Continuous Bureau | Mumbai
Olpad : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને જયારે કોઈ જીવલેણ બિમારી આવી પડે તેવા સમયે કેન્દ્ર અને ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર અપાય છે, પણ જયારે આવી બિમારી આવે અને લોકો પાસે કાર્ડ ન હોય ત્યારે તેમની હાલત કફોડી થતી હોય છે, ત્યારે આવી આકસ્મિક સ્થિતિમાં સુરત ( Surat ) જિલ્લાના ઓલપાડ મામલતદાર કચેરી દ્વારા ઈમરજન્સીના સમયે તત્કાલમાં રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો હતો.
ઓલપાડના સિવાણ ગામે રહેતા ૫૨ વર્ષીય બાડત્યા અભિમન્યુ કીર્તન જેમને પગના લીગામેન્ટનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ ( Ayushman Card ) હેઠળ થતુ હોવાથી તત્કાલ રાશન કાર્ડની જરૂરિયાત ઉભી થઇ. પણ તેઓની પાસે રેશનકાર્ડ ( Ration card ) ન હતો. જેથી તેઓએ ઓલપાડ મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો. આરોગ્યની ઈમરજન્સી સ્થિતિને જોતા માનવીય અભિગમ અપનાવી તત્કાલ પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા થોડા કલાકોમાં રાશન કાર્ડ કાઢી આપવાની ઉમદા કામગીરી કરવામાં આવી. અરજદારને સરકારી સેવાનો સુખદ અનુભવ થયો હતો અને નેક કામમાં સહાયરૂપ થવા બદલ મામલતદાર ( Olpad Mamlatdar office ) શ્રી તેમજ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Melanistic Tiger Safari Odisha: ઓડિશામાં પ્રથમ વખત, સિમિલીપાલમાં મેલાનિસ્ટિક વાઘ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી.. જાણો વિગતે…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.