News Continuous Bureau | Mumbai
Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર ( Gandhinagar ) દ્વારા રાજ્ય સરકારના ( State Govt ) સહયોગથી આર્મીમાં ( army ) જોડવા ઈચ્છતા અનુસુચિત જનજાતિના ઉમેદવારો ( Tribal candidates ) માટે વિનામૂલ્યે ૭૫ દિવસની રહેવા-જમવાની સુવિધા સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિ.માં તાલીમ યોજાશે. લઘુતમ ધો.૧૦ પાસ, અનુસુચિત ( tribal category ) જનજાતિ કેટેગરીનું ( certificate ) પ્રમાણપત્ર ધરાવતા હોય તેમજ જેઓઓ જન્મ ૧ ફેબ્રુઆરી, ૨૦૦૪ થી ૧ એપ્રિલ, ૨૦૦૭ (બને દિવસો સહિત)ની વચ્ચે થયો હોય તેવા ( Surat ) સુરત શહેર-જિલ્લાના ઉમેદવારોએ તા.૧૧/૧૦/૨૦૨૩ના સવારે ૧૧:૦૦ કલાકે યુ.ઈ.બી. કચેરી, ડે કેર સેન્ટર બિલ્ડીંગ, નર્મદ યુનિ. સેન્ટ્રલ લાઈબ્રેરીની બાજુમાં, નર્મદ યુનિ. કેમ્પસ, ઉધના- મગદલ્લા રોડ, વેસુ ખાતે તમામ સંલગ્ન ડોક્યુમેન્ટ્સ સાથે અચૂક હાજર રહેવા અનુરોધ છે.
આ તાલીમમાં જોડાવા માટે પસંદગી કમિટી દ્વારા નિયત માપદંડમાં પરિપૂર્ણ હોવું આવશ્યક છે એમ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરતની યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો : Israel Palestine Attack : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાને PM મોદીને કર્યો ફોન, માંગી આ મદદ..