News Continuous Bureau | Mumbai
Gujarat Board Exams : વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈ પણ મુંઝવણ હોય તો કોલ કરી સંપર્ક સાધવા અનુરોધઃ
આગામી તા.૨૭ ફેબ્રુ.થી ૧૭ માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંબધિત મુંઝવણના નિવારણ માટે તથા તેઓ માનસિક દબાણમાં આવી અણધાર્યું પગલુ ન ભરી બેસે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે મો.નં. ૯૯૭૯૧ ૦૫૦૮૨ હેલ્પલાઈન નંબર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ પરીક્ષા સંબંધિત કોઈપણ મુંઝવણ હોય તો સંપર્ક સાધવા નાયબ પોલીસ મહાનિરીક્ષક-સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોયસર દ્વારા જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.