India Partition: વિભાજન સમયે ભારતે વેઠેલી યાતાનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શન, આ તારીખ સુધી લોકો લઈ શકશે નિ:શુલ્ક મુલાકાત.

India Partition: કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર પ્રદર્શનનું આયોજન. તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન લોકો નિ:શુલ્ક મુલાકાત લઈ શકશે

News Continuous Bureau | Mumbai

India Partition: ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની ( Independence day )  કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ભારતનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી હાલાકી અને યાતનાઓને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ( Photo exhibition ) ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો  ( Central Bureau of Communications ) દ્વારા સુરતમાં ( Surat )  “સમૃધ્ધિ” ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાનપુરામાં યોજવામાં આવશે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે કર્યું એવું કામ કે ત્યાં હાજર લોકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. 13 ઓગસ્ટના ચેમ્બરનાં પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા દ્વારા કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન તા.13નાં સવારે 11થી 6 તેમજ તા.14 અને 15 ઓગસ્ટનાં સવારે 10થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વધુમાં વધુ લોકો પરિવાર સાથે નિહાળે અને આપણા દેશ બાંધવોએ વેઠેલી યાતનાઓની જાણકારી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version