News Continuous Bureau | Mumbai
Nehru Yuva Kendra: કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો એક્તા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન શ્રી બદ્રી નારાયણ મંદિર અડાજણ ખાતે કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાશે.
આ સમાચાર પણ વાંચો : Manipur Violence: 2024 વર્ષ ઘણું ખરાબ રહ્યું, મને માફ કરી દો… મણિપુર હિંસા મુદ્દે સીએમ બિરેન સિંહે માંગી માફી
જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા ૧૫૦ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔધોગિક સ્થાનોની મુલાકત કરાવવામાં આવશે. નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જીલ્લા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં કાશ્મીરી યુવાનો જગદીશ ચંદ્ર બોસ મ્યુનિસિપલ એક્વેરિયમ, ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેશે. આ સાથે હજીરા અદાણી પોર્ટ, હરે ક્રિષ્ણા ડાયમંડ, લક્ષ્મીપતિ ટેક્સટાઈલ, યુરો ફ્રૂડ પ્રાઈવેટ લીમીટેડ, AURO યુનિવર્સિટીની મુલાકાત લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.