News Continuous Bureau | Mumbai
Vishwamitri Desilting: વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીના ડિસિલ્ટીંગ માટેનું આયોજન કર્યું છે. ગયા વર્ષે વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ પ્રશાસને આ વર્ષે પૂર્વ-તૈયારીઓ કરી છે. 100 દિવસના આ આયોજન અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં ભળતી નદીઓમાંથી કાંપ કાઢવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નદીઓમાંથી કાંપ-નિકાલ કરવાના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની શક્યતાઓ ઘટાડી શકાશે.