News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra modi) આજથી અઢી દિવસના યુરોપ પ્રવાસે(Europe trip) રવાના થઇ ચુક્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ સૌપ્રથમ જર્મનીના(Germany) બર્લિન(Berlin) ખાતે પહોંચશે જ્યાં તેઓ ઇન્ટર ગવર્મેન્ટ consultation ખાતે હાજરી આપશે. ત્યાર બાદ વડાપ્રધાન ડેનમાર્ક(Denmark) જશે. પોતાના વળતા પ્રવાસ સમયે તેઓ ફ્રાન્સના(France) પેરિસ(paris) ખાતે એક નાનકડું ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ કુલ મળીને 25 મીટીંગ કરવાના છે અને આઠ વૈશ્વિક નેતાઓને મળશે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત….. પાકિસ્તાનના સાંસદે કહ્યું અમારા વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ભિખારી છે. બીજી તરફ ચોર- ચોરના સૂત્રોચાર માટે ઇમરાન વિરુદ્ધ કેસ થયો.
વડાપ્રધાનનો આ યુરોપ નો કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે તે એવા સમયે થયો છે જ્યારે યુરોપના આંગણે એટલે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવા નાજુક સમયે વડાપ્રધાનના કાર્યક્રમને કારણે દેશને શું લાભ થાય છે તે આગામી દિવસો દરમિયાન જાણવા મળશે.