Site icon News Continuous Bureau | Mumbai

પિતાની સંપત્તિ પર દીકરીના અધિકાર મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, વસિયત ન હોય તો જાણો કોને અપાશે પ્રાથમિકતા? 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર.

દેશની સર્વોચ્ચ અદાલતે પિતાની સંપત્તિ પર દીકરીઓના અધિકારને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે જો સંયુક્ત પરિવારમાં રહેનાર વ્યક્તિનું મૃત્યુ વસિયત બનાવ્યા વિના પામે તો તેમની સંપત્તિ પર તેમની દીકરીનો હક રહેશે. પુત્રીને તેના પિતાના ભાઈના પુત્રો કરતાં મિલકતનો હિસ્સો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે અદાલતે એમ પણ કહ્યું છે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956ના અમલ પહેલા મિલકતના વિતરણ પર પણ આવી સિસ્ટમ લાગુ પડશે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય હિંદુ મહિલાઓ અને વિધવાઓના હિંદુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંપત્તિઓના અધિકારોને લઈને આપ્યો છે. સર્વોચ્ચ અદાલતની જજની પેનલે તમિલનાડુના આ મામલામાં 51 પેજનો ચૂકાદો આપ્યો છે. આ મામલામાં પિતાનું મૃત્યુ 1949માં થયું હતું. તેમની પોતાની સ્વઅર્જિત (પોતાની કમાણી) અને ભાગમાં મળેલી સંપત્તિની કોઇ વસિયત બનાવી નહોતી. મદ્રાસ હાઇકોર્ટે પિતાની સંયુક્ત પરિવારમાં રહેતા હોવાના કારણે તેમની સંપત્તિ પર તેમના ભાઇના દીકરાઓને અધિકાર આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પિતાની એકમાત્ર દીકરીના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ કેસ દીકરીના વારસદારો લડી રહ્યા હતા.

ફરી એકવાર વડાપ્રધાન મોદીએ મારી બાજી: વિશ્વના ‘આ’ નેતાઓની યાદીમાં PM મોદી ટોચ પર, યુએસ પ્રમુખને છોડ્યા પાછળ

સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે હિંદુ ઉત્તરાધિકાર કાયદો દીકરીઓને પિતાની સંપત્તિ પર સમાન હકનો અધિકાર આપે છે. આ કાયદો લાગુ થયા અગાઉથી જ ધાર્મિક વ્યવસ્થામાં પણ મહિલાઓને સંપત્તિનો અધિકાર મળેલો છે. આ અગાઉ અનેક ચુકાદામાં સ્થાપિત થઇ ચૂક્યું છે કે જો કોઇ વ્યક્તિનો કોઇ દીકરો ના હોય તો તેની સંપત્તિ તેના ભાઇના દીકરાઓના બદલે તેની દીકરીને આપવામાં આવશે. આ વ્યવસ્થા તે વ્યક્તિએ પોતે કમાયેલી સંપત્તિની સાથે સાથે તેને વારસામાં મળેલી સંપત્તિ પર પણ લાગુ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ વ્યવસ્થાનો વિસ્તાર હવે 1956 અગાઉ થયેલા સંપત્તિ વહેંચણી પર પણ લાગુ કરી દીધો છે. જેની અસર દેશભરની નીચલી અદાલતોમાં પેન્ડિંગ સંપત્તિ વહેંચણી વિવાદના કેસ પર પણ પડી શકે છે.

સોમનાથ મંદિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભેટ, સોમનાથ મંદિર સર્કિટ હાઉસનું કર્યું ઉદ્ધાટન, અનેક લોકોને મળશે આ લાભ

Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Ram Mandir Donation Probe અયોધ્યા રામ મંદિર દાન વિવાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને ટ્રસ્ટને નોટિસ પાઠવી
Gyanvapi Mosque Dispute કોર્ટની પહેલ પણ નિષ્ફળ? જ્ઞાનવાપીસંભલ સહિતના વિવાદો પર બંને પક્ષો મક્કમ, ધાર્મિક સ્થળોના વિવાદમાં ફરી પેંચ ફસાયો.
Exit mobile version