સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ સામે આવ્યો- ભારતના 9 રાજ્યોમાં હિંદુઓ થયા અલ્પ સંખ્યક અને 200 જીલ્લામાંથી પલાયન ચાલુ-જાણો વિગતવાર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ(United Nations Census Report) સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ આવ્યો છે, તે મુજબ 2023ની સાલ સુધીમાં ભારત ચીનને પાછળ મૂકીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. તો ભારતમાં 9 રાજ્યોમાં હિંદુઓ હવે અલ્પસંખ્યક(Hindus Minority) થઈ ગયા છે. તો 200 જિલ્લામાં હિંદુઓનું પલાયન થઈ રહ્યું છે. આ રિપોર્ટ આવવાની સાથે જ ખળભળાટ મચી ગયો છે અને હવે સામસામે બયાનબાજીઓ થઈ રહી છે

દેશના 200 જિલ્લામાં હિંદુઓનું મોટા પ્રમાણમાં પલાયન થઈ રહ્યું છે. 9 રાજ્યોમાં હિંદુઓ ખતમ થઈ ગયા છે. લડાખમાં(Ladakh) એક ટકા, લક્ષદ્વીપમાં(Lakshadweep) બે ટકા મિઝોરમ અને કાશ્મીરમાં(Mizoram and Kashmir) બે-બે ટકા, નાગાલેન્ડમાં(Nagaland) 8 ટકા હિંદુઓ જ બચ્યા છે. આ 9 રાજ્યોમાં હિંદુઓની વસ્તી ઘટી ગઈ છે. 

દેશના ભાગલા પહેલા ભારતમાં મુસ્લિમોની સંખ્યા 23 ટકા હતી. ભાગલા બાદ 14 ટકા પાકિસ્તાન(Pakistan) ગયા હતા. નવા ટકા ભારતમાં જ રહી ગયા હતા. તેની સંખ્યા હવે 18 ટકા થઈ ગઈ છે. દેશના અનેક જિલ્લામાં હવે મુસ્લિમો બહુમતીમાં(Muslims majority) થઈ ગયા છે. 

આ સમાચાર પણ વાંચો :  આ મહત્વપૂર્ણ પદ પરથી સોનિયા ગાંધી આપશે રાજીનામું અને શરદ પવાર વિરાજમાન થશે-રાજનૈતિક હલચલ તેજ-જાણો વિગત

સુપ્રીમ કોર્ટના( Supreme Court) વકીલ અશ્વિની ઉપાધ્યાયે હિંદુઓની ઘટી રહી વસતીને લઈને કહ્યું હતું કે જયાં શિક્ષણ વધુ ત્યાં જનસંખ્યા નિયંત્રણમાં(Population control) હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દાવો કરનારા લોકોએ કેરળમાં(Kerala) જઈને જોવું જોઈએ. 

ભાજપના(BJP) એક નેતાએ કહ્યું હતું કે કેરળમાં 100 પરિવાર એવા છે, જેમાં 10થી 20 બાળકો છે અને તે તમામ લોકો ભણેલા-ગણેલા છે. કોઈ નર્સ છે, કોઈ ડોક્ટર છે. કોઈ એન્જિનિયર છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More