Site icon News Continuous Bureau | Mumbai

અગ્નિવીરોની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન- જાણો ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન

Indian Army : Indian Army Introduces New Fitness Policy to Fight 'Declining Physical Standards'

Indian Army : Indian Army Introduces New Fitness Policy to Fight 'Declining Physical Standards'

News Continuous Bureau | Mumbai 

દેશના સંરક્ષણ(Defense) માટે સમર્પિત થવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો(Candidates) માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ(Indian Army) અગ્નિપથ યોજના(Agneepath Yojana) હેઠળ અગ્નિવીર ભરતી રેલી(Agniveer Recruitment rally)માટે સૂચના બહાર પાડી છે. આ સૂચનામાં ભરતી રેલી માટે જરૂરી તમામ માહિતી આપવામાં આવી છે. સેનાએ ભરતીમાં જોડાવા માટે, તમામ ઉમેદવારોએ ફરજિયાતપણે ઓનલાઈન પોર્ટલ(Online portal) પર નોંધણી કરાવવી પડશે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય સેના JOININDIANARMY.NIC.IN  ની સત્તાવાર વેબસાઇટની(Official website) મુલાકાત લઈને અરજી કરી શકશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : અગ્નિપથ ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન- આ શહેરમાં ધારા 144 લાગુ- હાઈ એલર્ટ પર RPF અને GRP

ભારતીય સેનાએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે અગ્નિવીર ભરતી માટે ઓનલાઈન નોંધણીની(Register online) પ્રક્રિયા જુલાઈ, 2022થી શરૂ કરવામાં આવશે. આ ભરતી નીચેની જગ્યાઓ માટે યોજાશે-

અગ્નિવીર જનરલ ડ્યુટી(Agniveer General Duty)

અગ્નિવીર ટેકનિકલ(Agniveer Technical)

અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન ટેસ્ટર)

અગ્નિવીર કારકુન/સ્ટોર કીપર ટેકનિકલ

અગ્નિવીર ટ્રેડ્સમેન(Agniveer Tradesman) 10મું પાસ

અગ્નિવીર ટ્રેડ્સમેન 8મું પાસ

ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ અગ્નિવીરના પદો(Agniveer's terms) માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પહેલા વર્ષે 30,000 રૂપિયા, બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષે 40,000 રૂપિયા પગાર અને ભથ્થાં આપવામાં આવશે. આ દરમિયાન દર વર્ષે 30 દિવસની રજા આપવામાં આવશે.  સાથે સેવા મુક્તિ સમયે સર્વિસ ફંડ(Service fund) પણ આપવામાં આવશે.

નિયમો અને શરત-:

અગ્નિવીરોને આર્મી એક્ટ(Army Act) 1950 હેઠળ 4 વર્ષની સેવા સમયગાળા માટે નોંધણી કરવામાં આવશે. અરજદારોની વય મર્યાદા 17.5 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નામાંકિત અગ્નિવીર કોઈપણ પેન્શન અથવા ગ્રેચ્યુઈટી(Pension or gratuity) માટે પાત્ર રહેશે નહીં. અગ્નિવીરોને ચાર વર્ષની સેવા પૂરી થવા પર સેવા મુક્ત કરવામાં આવશે. 

જનરલ ડ્યુટી(General Duty) માટે, ઉમેદવારોએ કુલ 45% ગુણ સાથે 10મું પાસ હોવું જોઈએ.

અગ્નિવીર ટેકનિકલ (એવિએશન/એમ્યુનિશન ટેસ્ટર) માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયમાં 50% ગુણ સાથે 12મું પાસ.
કારકુન/સ્ટોરકીપરની જગ્યાઓ માટે 60% ગુણ સાથે 12મું પાસ. અંગ્રેજી અને ગણિતમાં 50% ગુણ જરૂરી છે.

વેપારી માટે 10 અને 8 પાસ ઉમેદવારોની અલગ-અલગ ભરતી થશે. અરજદારને તમામ વિષયોમાં 33% ગુણ હોવા જોઈએ.

Essential Medicine Prices Capped બ્લડ પ્રેશર (Blood Pressure), હાર્ટ અને ડાયાબિટીસની ૩૯ આવશ્યક દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણ (Price Cap)
India Acquires MQ9 Reaper Drones ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો ૩૧ ‘MQ9 રીપર ડ્રોન’ (MQ9 Reaper Drones) ની ઐતિહાસિક ખરીદી
FSSAI Action on Swiggy “સ્વિગી માટે મુશ્કેલીઓ વધી! ફૂડ સેફ્ટીના ભંગ બદલ FSSAI ની લાલઆંખ, કંપની સામે લેવાઈ શકે છે કે કડક પગલાં .”
National Anthem and Song Rules રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના સન્માન માટે સરકારની નવી માર્ગદર્શિકા, શું ભૂલ કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી? જાણો
Exit mobile version