Site icon

Alliance Air: એર ઇન્ડિયાના વેચાણ બાદ પણ ભારતની આ એરલાઇન પર સરકારનો કંટ્રોલ, ૬૦ ડેસ્ટિનેશન પર તેની સર્વિસ!

ઇન્ડિગો જેવી ખાનગી એરલાઇન્સની અવ્યવસ્થા વચ્ચે લાખો લોકો જાણવા માંગે છે કે ભારતીય રેલવે જેવી કોઈ સરકારી એરલાઇન્સ છે કે નહીં. વર્તમાનમાં એલાયન્સ એર (Alliance Air) ભારતની એકમાત્ર સંપૂર્ણ સરકારી માલિકીની એરલાઇન છે.

Alliance Air એર ઇન્ડિયાના વેચાણ બાદ પણ ભારતની આ એરલાઇન પર સ

Alliance Air એર ઇન્ડિયાના વેચાણ બાદ પણ ભારતની આ એરલાઇન પર સ

News Continuous Bureau | Mumbai

Alliance Air  ખાનગી એરલાઇન્સ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ્દ થવાના સંકટ વચ્ચે, લાખો લોકો જાણવા માંગે છે કે શું ભારતીય રેલવેની જેમ કોઈ ભરોસાપાત્ર સરકારી વિમાન કંપની છે. વિમાન ક્ષેત્રમાં સરકારી કંપનીઓ લાંબી દોડનો ઘોડો બની શકી નથી. ‘મહારાજા’ ટેગલાઇનવાળી એર ઇન્ડિયા પણ ભારે નુકસાન અને રાજકીય હસ્તક્ષેપને કારણે જાન્યુઆરી ૨૦૨૨ માં ટાટા ગ્રુપને પાછી વેચાઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

એર ઇન્ડિયાથી એલાયન્સ એર સુધીનો સફર

૧૯૫૩ માં સ્થપાયેલી ઇન્ડિયન એરલાઇન્સ અને ૧૯૩૨ માં ટાટા એરલાઇન્સ તરીકે શરૂ થયેલી એર ઇન્ડિયા, બંને સરકારીકરણ પછી ખોટ અને ખાનગી એરલાઇન્સના દબાણ સામે ટકી શકી નહીં.૧૯૫૩ માં રાષ્ટ્રીયકરણ કરાયેલ એર ઇન્ડિયા, ૨૦૨૧ સુધીમાં ₹૬૦,૦૦૦ કરોડથી વધુના દેવામાં ડૂબી ગઈ અને જાન્યુઆરી ૨૦૨૨ માં ફરી ટાટા ગ્રુપ પાસે પાછી આવી ગઈ.

એલાયન્સ એર: ભારતની એકમાત્ર સરકારી એરલાઇન

એલાયન્સ એર (Alliance Air) હાલમાં ભારતની એકમાત્ર સંપૂર્ણ રીતે સરકારી માલિકીની પ્રાદેશિક એરલાઇન છે. તેની શરૂઆત ૧૯૯૬ માં થઇ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના શહેરો, ટાયર-૨/ટાયર-૩ નગરો અને પૂર્વોત્તર રાજ્યોને હવાઈ સંપર્ક પૂરો પાડવાનો છે, જ્યાં મોટી એરલાઇન્સ જવાનું ટાળે છે.

આ સમાચાર પણ વાંચો : Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!

વર્તમાન કામગીરી:
એલાયન્સ એર હાલમાં ૬૦ સ્થળો (૫૯ ઘરેલું અને ૧ આંતરરાષ્ટ્રીય-જાફના, શ્રીલંકા) ને દરરોજ ૧૩૭ ફ્લાઇટ્સ સાથે જોડે છે.
તે UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાની સૌથી મોટી ઓપરેટર છે.
એરલાઇન નફામાં ચાલતી નથી, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તે હજુ પણ ૧૦૦% ભારત સરકારના નિયંત્રણ હેઠળ છે.

IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Farooq Abdullah Attack: જાણો કોણ છે આરોપી કમલ સિંહ? પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલો કરનાર વ્યક્તિ ના ભૂતકાળ અને હેતુ વિશે થયો મોટો ખુલાસો
Exit mobile version