News Continuous Bureau | Mumbai
Air Pollution :ઑક્ટોબર મહિનો આવતાં જ દિલ્હીમાં ( Delhi ) વર્ષોથી શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ જાય છે. આંખોમાં બળતરા , છાતીમાં અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ આ સ્થિતિ માત્ર દિલ્હીમાં જ નથી, પરંતુ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ( Mumbai ) પણ આ સંકટ ઊભું થયું છે. આ ઉપરાંત હૈદરાબાદ અને કોલકાતામાં પણ છેલ્લા 5 વર્ષમાં વાયુ પ્રદૂષણમાં ઝડપથી વધારો થયો છે. 2019થી 2023 સુધીમાં મુંબઈમાં વાયુ પ્રદૂષણ બમણું થઈ ગયું છે. ક્લાઈમેટ ટેક સ્ટાર્ટઅપ ( climate tech startup ) રેસ્પિરોર લિવિંગ સાયન્સના ( Respiror Living Sci ) જણાવ્યા અનુસાર, 2019 થી 2023 દરમિયાન દેશના 4 મોટા શહેરોમાં પ્રદૂષણનું ( pollution ) સ્તર ઝડપથી વધ્યું છે.
મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં 42.1 ટકાનો વધારો
ખાસ કરીને દરિયાઈ પવનને કારણે સ્વચ્છ હવા માટે પ્રખ્યાત એવા મુંબઈમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વાયુ પ્રદૂષણમાં 42.1 ટકાનો વધારો થયો છે. અગાઉ, 2019ની સરખામણીમાં 2019માં 54 ટકા સુધીનો વધારો થયો હતો. મુંબઈ પ્રશાસને પ્રદૂષણનો સામનો કરવા માટે 350 સરકારી બસોમાં એર ફિલ્ટર લગાવ્યા છે. આ સિવાય કેટલીક ખાસ જગ્યાઓ પર હવા શુદ્ધિકરણ સિસ્ટમ ( Air purification system ) પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ખાસ પ્રકારની સ્ટ્રીટલાઈટ પણ લગાવવામાં આવી છે. મુંબઈમાં ઘણી જગ્યાએ ઊંચાઈએથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી ધૂળના કણોને દબાવી શકાય.
એ જ રીતે, દિવાળી પહેલા ફરી એકવાર પ્રદૂષણ દિલ્હીને ગૂંગળાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. AQI 400ની આસપાસના સ્તરે પહોંચી ગયો. દિલ્હી સિવાય ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત સમગ્ર NCRમાં આવા જ હાલ છે. દક્ષિણ ભારતના મોટા શહેર હૈદરાબાદમાં પણ સ્થિતિ વણસી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શહેરમાં વાયુ પ્રદૂષણમાં 18.6 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ગયા વર્ષે પણ તેમાં 29 ટકાનો વધારો થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Electoral Bond : સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને પડકારતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો; જાણો અત્યાર સુધી શું થયું…
કોલકાતામાં પણ સંકટ, પરંતુ આ 4 શહેરોમાં મળી રાહત
સામાન્ય રીતે કોલકાતામાં હવા સ્વચ્છ રહેતી હતી, પરંતુ અહીં પણ સ્થિતિ બદલાઈ ગઈ છે. આ વર્ષે વાયુ પ્રદૂષણમાં 40 ટકાનો વધારો થયો છે. અગાઉ 2021માં તે 51 ટકા વધુ હતું. જો કે 2022માં 33 ટકાનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે તેમાં ફરી વધારો થયો છે. જો કે, આશ્ચર્યજનક વાત એ છે કે લખનૌ, પટના, બેંગલુરુ અને ચેન્નાઈમાં હવા ગયા વર્ષની સરખામણીએ સ્વચ્છ છે. સૌથી મોટો ઘટાડો ચેન્નઈમાં આવ્યો છે, જ્યાં 23 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય બેંગલુરુમાં 11 ટકા, પટનામાં 11 ટકા અને લખનૌમાં માત્ર 0.9 ટકાનો ઘટાડો થયો છે.
કેસ પહોંચ્યો SCમાં, 4 રાજ્યો પાસેથી રિપોર્ટ માંગ્યો
ઉલ્લેખનીય છે કે વાયુ પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મંગળવારે, સુપ્રીમ કોર્ટે ( supreme court ) દિલ્હીના ચાર પાડોશી રાજ્યો રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશને પૂછ્યું હતું કે તેઓએ પ્રદૂષણ ઘટાડવા માટે શું પગલાં લીધાં છે. સર્વોચ્ચ અદાલતે ચારેય રાજ્યોને આ અંગે રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હરિયાણા અને પંજાબમાં પરાળ સળગાવવાને પ્રદૂષણનું કારણ માનવામાં આવે છે. રવિવારે જ પંજાબમાં પરાળ સળગાવવાના કેસમાં 740 ટકાનો વધારો નોંધાયો હતો.