News Continuous Bureau | Mumbai
Bangladesh crisis:પાડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે. તેમણે હાલ ભારતમાં આશ્રય લીધો છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. આંદોલનકારીઓ દ્વારા તોડફોડ ચાલી રહી છે. લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
Bangladesh crisis: બાંગ્લાદેશમાં હિંદુઓના ઘરો બાળવામાં આવી રહ્યા છે
બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા હિંદુઓના ઘરો બાળવામાં આવી રહ્યા છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને જોતા એર ઈન્ડિયા એક્શન મોડ પર છે. ઢાકા અને દિલ્હી વચ્ચે ખાસ ચાર્ટર્ડ પ્લેન શરૂ કરવામાં આવ્યું છે. 205 લોકોને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે એર ઈન્ડિયાની એક ફ્લાઈટ આજે સવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. તેમાં છ બાળકો સહિત 205 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકો A321 નિયો એરક્રાફ્ટમાં ઘરે પરત ફર્યા હતા. ઢાકા એરપોર્ટ પર ખૂબ જ મૂળભૂત સમસ્યાઓ હોવા છતાં, તમામ પડકારોને પાર કરીને, એર ઈન્ડિયાએ વિશેષ ફ્લાઇટ સેવા ચાલુ રાખી અને ભારતીયોને બચાવ્યા. દિલ્હીથી ઢાકા જતી ફ્લાઈટમાં કોઈ મુસાફરો ન હતા. આ વિમાન બાંગ્લાદેશમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જ ઢાકા એરપોર્ટ પહોંચ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Hamas New Chief : ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ હમાસે નવા ચીફની નિમણૂક કરી, આ ઈઝરાયેલ હુમલાના આ માસ્ટરમાઈન્ડને બનાવ્યો નવો પ્રમુખ..
Bangladesh crisis: બાંગ્લાદેશમાં કુલ 19 હજાર ભારતીય નાગરિકો
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં કુલ 19 હજાર ભારતીય નાગરિકો હોવાની માહિતી આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે સંસદમાં આપી હતી. 19 હજાર ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં ફસાયેલા છે અને તેમાંથી 9 હજાર વિદ્યાર્થીઓ છે.