Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામ? BMCએ ફટકારી નોટિસ ; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર 

ફરી એકવાર શિવસેના અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે વચ્ચે વિવાદ વકરે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને શિવસેના વચ્ચેની રાજકીય ખેંચતાણ વચ્ચે બીએમસીએ નારાયણ રાણેને તેમના બંગલાના બાંધકામને લઈને નોટિસ મોકલી છે

મુંબઈના જુહુ ખાતે રાણેના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ છે અને મહાનગરપાલિકાએ બંગલાની તપાસ કરવા નોટિસ મોકલી છે. 

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટ વોર્ડ અને બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની એક ટીમ શુક્રવારે જુહુ તારા રોડ સ્થિત આધિશ બંગલાની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ કરશે.

બંગલાના બાંધકામને લગતા દસ્તાવેજો તૈયાર રાખવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2017માં આરટીઆઈ કાર્યકર્તા સંતોષ દાઉદકરે ફરિયાદ નોંધાવી હતી કે બંગલાના બાંધકામમાં સીઆરઝેડનું ઉલ્લંઘન થયું છે.

અરે વાહ! મુંબઈના આટલા વોર્ડ કોરોના મુક્ત થવાની તૈયારીમાં.. જાણો વિગત

Enforcement Directorate। EDનો સપાટો ગેરકાયદેસર વિદેશી રેમિટન્સ કૌભાંડમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 13 સ્થળોએ દરોડા
West Bengal Election 2026। બંગાળમાં ચૂંટણી હિંસા મુર્શિદાબાદમાં બૂથ પાસે બોમ્બ ધડાકા, અફરાતફરી વચ્ચે અનેક ઘાયલ!
West Bengal Elections 2026। બંગાળના મતદારો માટે પીએમ મોદીનો સંદેશ યુવાનો અને મહિલાઓને કરી ખાસ અપીલ, ‘મતદાન અવશ્ય કરો
Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે
Exit mobile version