426
Join Our WhatsApp Channel
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ગેરકાયદેસર રીતે રહેનારા રોહિંગ્યાને પાછા મોકલવાના આદેશ આપ્યા છે
બજેટ સત્ર દરમિયાન સાંસદ કિરોડી લાલ મીણાના સવાલ પર રાજ્યસભામાં ગૃહમંત્રાલયે કહ્યું કે, યોગ્ય દસ્તાવેજો ન હોય તેવી વ્યક્તિને પરત મોકલવાનો નિયમ છે.
આ નિયમ હેઠળ તમામ રાજ્યોને વર્ષ 2014 અને 2019 માં રોહિંગ્યાને પરત મોકલવાની વિગતવાર સૂચના આપવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે રહી રહેલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે રોહિંગ્યા મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ છે , કર્ણાટક અને કેરળમાં રહે છે.
You Might Be Interested In
