ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ મે 2021
રવિવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા. તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્ય સભામાં મનોનીત થયેલા રાજીવ સાતવ નું નિધન થયું છે.

તેઓએ પૂનાની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. થોડા સમય અગાઉ તેમને કોરોના થયો હતો. જોકે તેઓ કોરોના માંથી બહાર આવ્યા પરંતુ તેમના શરીરમાં એક વાઇરસ રહી ગયો હતો. ત્યારબાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ અને તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. તેમનો ઇલાજ યશસ્વી રહ્યો નહોતો.
રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ હતા.
આ સમાચાર પણ વાંચો : ભારતના પશ્ચિમ કાંઠા ને ઘમરોળતું વાવાઝોડું મુંબઈ તરફ આગળ વધ્યુ
તેમના મૃત્યુ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શોક પ્રગટ કર્યો છે.
I’m very sad at the loss of my friend Rajeev Satav. He was a leader with huge potential who embodied the ideals of the Congress.
It’s a big loss for us all. My condolences and love to his family. pic.twitter.com/mineA81UYJ
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021