Site icon

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનને લઈને જાહેર કરી નવી ગાઇડલાઇન, હવે કોરોના સંક્રમિત થયાના આટલા મહિના બાદ જ વેક્સીન લઈ શકાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ ફરી દેશમાં રસીકરણ રસીકરણની ગતિ વધારી દેવામાં આવી છે. આ સાથે જ કોરોના વેક્સીનેશનને લઈ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ હવે કોરોના સંક્રમણથી સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન લાગશે. આ નિયમ બૂસ્ટર ડોઝમાં પણ લાગૂ થશે.

કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પત્ર લખી દિશા નિર્દેશ જાહેર કર્યા. જેમાં લખ્યું છે કે જે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન આપવી. આ નિયમ કોરોનાના પહેલા અને બીજા ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ પર પણ લાગુ પડશે. વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યા છે તેના આધારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 PM મોદીની જાહેરાત: અહીં મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, જાણો કોણ બનાવશે નેતાજીની પ્રતિમા

વાયરસના બચાવ માટે સરકાર ઘણા માધ્યમો દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વેક્સીન લગાવવા કે કોરોના સંક્રમણથી સાજા થયા બાદ કેટલા મહિના સુધી ઇમ્યુનિટી એટલે કે એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે. લોકોના મનમાં ઉઠી રહેલા સવાલને લઈને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ જાન્યુઆરીથી 15  થી 18 વર્ષના યુવાઓને પણ કોરોના વેકસીન આપવાની મંજૂરી અપાઈ છે. બીજી તરફ ઘરડા લોકો અને ફ્રન્ટ લાઈન વર્કર માટે પણ 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાયુ છે. 
 

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version