ભારતના આ રાજ્યોના 27 જિલ્લામાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતિત, રાજ્યોને ફરી આપ્યા આ  નિર્દેશ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

શનિવાર

ભારતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 27 જિલ્લામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી સરકારની ચિંતા વધી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોવિડ ક્લસ્ટર મળે તો નાઈટ કર્ફ્યુ, લોકોના ભેગા થવા પર પ્રતિબંધ, વિવાહ અને અંતિમ સંસ્કારમાં સામેલ થનાર લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્દેશ આપ્યો છે. 

સરકારે જે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે તેમાં કેરળના અને મહારાષ્ટ્રના તથા ગુજરાતના જિલ્લા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં 10 હજારથી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં સક્રિય કેસ છે. 

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment