Site icon News Continuous Bureau | Mumbai

Atal Canteen Delhi: દિલ્હીમાં ‘અટલ કેન્ટીન’નો જાદુ: માત્ર ૪૮ કલાકમાં ૩૩,૦૦૦ થી વધુ લોકોએ જમ્યા, ગરીબ અને મધ્યમ વર્ગ માટે બની મોટી આશા

મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મોટી ભેટ; મજૂરો અને ગરીબો માટે પૌષ્ટિક આહાર હવે સસ્તો, દિલ્હીમાં ટૂંક સમયમાં ખુલશે કુલ ૧૦૦ કેન્ટીન.

Atal Canteen Delhi દિલ્હીમાં 'અટલ કેન્ટીન'નો જાદુ માત્ર ૪૮ કલાકમાં ૩૩,૦૦૦ થી

Atal Canteen Delhi દિલ્હીમાં 'અટલ કેન્ટીન'નો જાદુ માત્ર ૪૮ કલાકમાં ૩૩,૦૦૦ થી

News Continuous Bureau | Mumbai

Story – Atal Canteen Delhi દિલ્હી સરકાર દ્વારા સંચાલિત ‘અટલ કેન્ટીન’ એ શરૂઆતના બે દિવસમાં જ સેંકડો ગરીબ પરિવારો અને મજૂરો માટે રાહતનો શ્વાસ લાવ્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસરે ૪૫ કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૌષ્ટિક અને ગરમ આહાર પૂરો પાડવાનો છે.

Join Our WhatsApp Channel

૨ દિવસમાં ૩૩,૩૯૨ લોકોએ લીધો લાભ

રિપોર્ટ મુજબ, ઉદ્ઘાટનના પહેલા અને બીજા દિવસે લોકોની ભારે ભીડ જોવા મળી હતી:
પહેલો દિવસ (ગુરુવાર): કુલ ૧૭,૫૮૭ લોકોએ ભોજન લીધું, જેમાં ૮,૬૦૪ લોકોએ લંચ અને ૮,૯૮૩ લોકોએ ડિનર કર્યું.
બીજો દિવસ (શુક્રવાર): કુલ ૧૫,૮૦૫ લોકોએ ભોજન લીધું.
કુલ આંકડો: ૩૩,૩૯૨ લાભાર્થીઓ. આ આંકડો દર્શાવે છે કે મોંઘવારીના જમાનામાં ૫ રૂપિયાનું ભોજન કેટલું મહત્વનું છે.

૧૦૦ કેન્ટીન ખોલવાની તૈયારી

મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જણાવ્યા અનુસાર, હાલમાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ૪૫ કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે. સરકારનું લક્ષ્ય સમગ્ર રાજધાનીમાં કુલ ૧૦૦ કેન્ટીન ખોલવાનું છે. બાકીની ૫૫ કેન્ટીન આગામી ૧૫ થી ૨૦ દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. આ કેન્ટીન ખાસ કરીને મજૂરોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખોલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Indian Railways: ભારતીય રેલ્વેનો ‘મેગા’ રેકોર્ડ: ૨૦૨૫માં તહેવારો અને રજાઓ દરમિયાન રેકોર્ડબ્રેક ટ્રેનો દોડાવી ઈતિહાસ રચ્યો..

ભોજનનો સમય અને સુવિધા

કેન્ટીનમાં ભોજનનો સમય કામદાર વર્ગની સુવિધા મુજબ રાખવામાં આવ્યો છે:
બપોરનું ભોજન (Lunch): સવારે ૧૧:૩૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી.
રાત્રિનું ભોજન (Dinner): સાંજે ૬:૩૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી. આ યોજના હેઠળ માત્ર ૫ રૂપિયામાં ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જે દિહાડી મજૂરો અને બેઘર લોકો માટે આશીર્વાદ સમાન છે.

 

Champat Rai and Anil Mishra Resignation રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર, ચંદા ચોરીના આક્ષેપો વચ્ચે લેવાયો નિર્ણય
PM Modi’s ThreeNation Visit વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના, ઇન્ડોનેશિયાથી કરશે પ્રવાસની શરૂઆત!
Champat Rai Ram Mandir Trust Meeting અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાયના ભવિષ્ય પર લેવાઈ શકે છે મોટો નિર્ણય
E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Exit mobile version