Site icon News Continuous Bureau | Mumbai

 India-Bangladesh Border: બાંગ્લાદેશ-બંગાળ બોર્ડર પર સ્થિતિ ખરાબ, હજારો હિન્દુ નાગરિકો ભારતમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ.. BSF એલર્ટ; જુઓ વિડીયો

 India-Bangladesh Border:  બાંગ્લાદેશ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) સંપૂર્ણ એલર્ટ પર છે. તેથી જ બાંગ્લાદેશના હજારો લોકોના ભારતીય સરહદમાં ઘૂસવાના પ્રયાસોને નિષ્ફળ બનાવાયા હતા. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં સ્થિતિ એવી હતી કે બાંગ્લાદેશીઓ બંને દેશોની સરહદેથી ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા

India-Bangladesh Border BSF stops Bangladeshi group attempting to cross over to India at Bengal

India-Bangladesh Border BSF stops Bangladeshi group attempting to cross over to India at Bengal

News Continuous Bureau | Mumbai

India-Bangladesh Border: પાડોશી બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે બીએસએફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

India-Bangladesh Border: બંગાળ બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ 

દરમિયાન, ગુવાહાટી ફ્રન્ટિયર ઓફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પશ્ચિમ બંગાળના કૂચ બેહાર જિલ્લામાં બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. BSFએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ 1000 લોકો, જેમાં મોટા ભાગના હિંદુ હતા, ભારતમાં આશરો લેવા સરહદે પહોંચ્યા હતા. પરંતુ બોર્ડર સીલ હોવાના કારણે કોઈ અંદર પ્રવેશ કરી શક્યું ન હતું. બાદમાં બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી) આ લોકોને તેમના દેશમાં પરત લઈ ગયા હતા.

India-Bangladesh Border: લોકોને પાછા મોકલવામાં આવ્યા હતા

આ મામલે બીએસએફે તરત જ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (બીજીબી)ને જાણ કરી કે આ લોકોને પાછા મોકલી શકાય. આ તમામ લોકો બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં સરહદથી 400 મીટરના અંતરે એકઠા થયા હતા.

આ સમાચાર પણ વાંચો: Hindenburg Research : અદાણી જૂથ બાદ હવે કોનો વારો?, કોણ બનશે હિંડનબર્ગનો નવો શિકાર? આ એક ટ્વીટએ જગાવી ચર્ચા..

India-Bangladesh Border: મોનિટરિંગ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

ભારત-બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ઈસ્ટર્ન કમાન્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘આ સમિતિમાં સામેલ અધિકારીઓ બાંગ્લાદેશમાં તેમના સમકક્ષો સાથે જોડાયેલા રહેશે, જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ સમિતિનું નેતૃત્વ એડીજી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈસ્ટર્ન કમાન્ડ કરે છે.

Pakistan Khyber Pakhtunkhwa Blast પાકિસ્તાન ફરી આતંકી ધડાકાથી ધ્રૂજ્યું શુક્રવારની નમાજ દરમિયાન ભીડભાડવાળી મસ્જિદને નિશાન બનાવી બ્લાસ્ટ, ચારેકોર લાશોના ઢગલા
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Rahul Gandhi Slams BJP And EC ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને પાર્ટીઓ તોડે છે TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ થતાં રાહુલ ગાંધી ભડક્યા
Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
Exit mobile version