News Continuous Bureau | Mumbai
ભારત (India)અને પાકિસ્તાન(Pakistan) સિંધુ જળ આયોગ અંતગર્ત(sindhu Water Commission) ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના ૩ સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે. આ પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળે(Indian delegation) સ્થાયી સિંધુ આયોગ ની વાર્શિક બેઠક માટે ઇસ્લામાબાદનો(Islamabad) પ્રવાસ કર્યો હતો. સ્થાયી આયોગની બેઠક ૧-૩ માર્ચને થઇ હતી અને તેના નેતૃત્વ સિંધુ જળના ભારતીય આયુક્ત(Indian Commissioner) પીકે સક્સેનાએ(PK Saxena) કર્યો હતો.
૧૯૬૦ ની સિંધુ જળ સંધિ અંતગર્ત ૩ પૂર્વી નદીઓ-સતલૂઝ, બ્યાસ અને રાવીના પાણી અપ્રતિબંધિત ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવ્યા છે. જ્યારે ૩ પશ્વિમી નદીઓ(Western rivers)- સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને ફાળવેલ છે. ભારતને ૩ પશ્વિમી નદીઓ પ્રોજેક્ટના માધ્યમથી જલવિદ્યુત ઉત્પન્ન કરવાનો અધિકાર છે. સંધિ અંતગર્ત પાકિસ્તાન પશ્વિમી નદીઓ પર ભારતીય જળવિદ્યુત(Indian Hydroelectricity) પ્રોજેક્ટની ડિઝાઇન પર આપત્તિ ઉઠાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરમાં આંતકનો નવો ટ્રેન્ડ? લદાખમાં ખાઈમાં લશ્કરના વાહનને જાણી જોઈને પાડવામાં આવી હતી.. ડ્રાઈવર પર શંકાની સોય.
ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ(Pakistani delegation) શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) આરએટીએસની બેઠક માટે દિલ્હી આવ્યા હતા.
માર્ચ સિંધુ જળ આયોગની બેઠક દરમિયાન ભારતીય પક્ષે આ વાત પર ભારત મુક્યો કે તેના તમામ પ્રોજેક્ટ સિંધુ જળ સંધિની જાેગવાઇનું પાલન કરે છે અને સ્થિતિના સમર્થનમાં ટેક્નિકલ વિવરણ પુરૂ પાડે છે. બંને પક્ષોએ ફાજિલ્કા નાળાના મુદ્દા પર પણ ચર્ચા કરી અને પાકિસ્તાને આશ્વાસન આપ્યું કે સતલુજ નદીમાં ફાજિલ્કા નાળાના મુક્ત પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે.