Site icon

દેશમાં કોરોનાની ગતિ કંટ્રોલની બહાર, આજે ફરી 2.8 લાખથી વધારે કેસ આવ્યા સામે; જાણો લેટેસ્ટ ડેટા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

દેશમાં મહામારી કોરોનાની ગતિ વધી રહી છે. તેની સાથે સાથે દેશમાં કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 8,961 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે.

 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. આ સાથે મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈ કાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની કેસની સંખ્યા ઘટતા ત્રીજી લહેર કાબુમાં, પણ હજી ચિંતા કાયમ; એક દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો આજે કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

જો કે, ચિંતાજનક વાત એ છે કે દેશમાં ગઈ કાલ કરતાં 44,952 વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોના વાયરસના 2,38,018 કેસ નોંધાયા હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ માહિતી આપી છે કે, ગઈ કાલે ભારતમાં કોરોના માટે 18 લાખ 69 હજાર 642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગઈ કાલ સુધીમાં કુલ 70 કરોડ 74 લાખ 21 હજાર 650 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version