પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, સંયુક્ત રાષ્ટ્રમાં મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ફરી એકવાર એ જ જૂનો રાગ આલાપ્યો છે. ભારતે પાકિસ્તાનને આ બાબતે સખત શબ્દોમાં ઘણુંબધું સંભળાવ્યું. 

by kalpana Verat
India slams Pakistan for raking up Kashmir issue in UN-min

News Continuous Bureau | Mumbai

બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે કહ્યું છે કે એક દેશ જેને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનની મેજબાની કરી અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કર્યો, તેની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપદેશ આપવા જેટલું સન્માન નથી.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનિયતા આપણા સમયના મુખ્ય પડકારો, પછી તે રોગચાળો હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય, તેની અસરકારક પ્રતિક્રિયા પર આધાર રાખે છે.

યુએનએસસીમાં આંતરરાષ્ટ્રીય શાંતિ પર જરૂરી ચર્ચાની અધ્યક્ષતા કરતા, એસ જયશંકરે કહ્યું, ‘અમે સ્પષ્ટપણે આજે બહુપક્ષવાદમાં સુધારાની તાકીદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આપણા પોતાના વિશેષ મંતવ્યો હશે, પરંતુ ઓછામાં ઓછી એક સમાનતા વધી રહી છે કે આમાં વધુ વિલંબ કરી શકાય નહીં.’

આ સમાચાર પણ વાંચો: G20 મિટિંગ માટે મુંબઈનું કરાયું બ્યુટિફિકેશન… શહેર ઝૂંપડપટ્ટીઓને આવી રીતે છુપાવવામાં આવી.. જુઓ વિડીયો   

વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા

વિદેશ મંત્રીએ કહ્યું, ‘દુનિયા જેને અસ્વીકાર્ય માને છે તેને યોગ્ય ઠેરવવાનો પ્રશ્ન જ ઊભો ન થવો જોઈએ. આ ચોક્કસપણે સરહદ પારના આતંકવાદના રાજ્ય સ્પોન્સરશિપને લાગુ પડે છે. ન તો ઓસામા બિન લાદેનની મેજબાની કરવી અને ન તો પડોશી દેશની સંસદ પર હુમલો કરવો એ આ કાઉન્સિલ સમક્ષ ઉપદેશ આપવા માટે પ્રમાણિકતા તરીકે કામ કરી શકે છે.’

આતંકવાદીઓ માટે સ્વર્ગ છે પાકિસ્તાન 

ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બર 2001ના રોજ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની એક મહિલા કર્મચારી અને બે સંસદસભ્ય આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. હુમલામાં એક કર્મચારી અને એક કેમેરામેનનું પણ મોત થયું હતું. પાકિસ્તાન પોતાના આતંકવાદના કારણે હંમેશા દુનિયાના નિશાના પર રહે છે, તેમ છતાં કાશ્મીરના નારા લગાવવાનું બંધ નથી કરી રહ્યું. 

આ સમાચાર પણ વાંચો: ‘રામ રાખે એને કોણ ચાખે’.. મુંબઈના પવઈમાં એક બસે રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો ચમત્કાર કે… જુઓ વિડિયો

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More