News Continuous Bureau | Mumbai
ભારતીય નૌસેનાના વડા એડમિરલ એ અગાઉ પુષ્ટિ કરી હતી કે વર્ષ ૨૦૨૬માં ભારતની ત્રીજી ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) INS અરિદમન ને સેનામાં સામેલ કરવામાં આવશે. હાલમાં આ સબમરીન તેના દરિયાઈ પરીક્ષણોના અંતિમ તબક્કામાં છે અને એપ્રિલ-મે મહિનામાં તેનું કમિશનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે.
અગાઉની સબમરીન કરતા વધુ મોટી અને પાવરફુલ
INS અરિદમન (S4) એ તેની પુરોગામી સબમરીન INS અરિહંત અને INS અરિઘાત કરતા ઘણી બાબતોમાં ચઢિયાતી છે:
વધારે ક્ષમતા: તેનું ડિસ્પ્લેસમેન્ટ (વજન) અંદાજે ૭,૦૦૦ ટન છે, જે અગાઉની સબમરીનના ૬,૦૦૦ ટન કરતા વધુ છે.
ઘાતક મિસાઈલો: આ સબમરીન લાંબા અંતરની K-4 બેલેસ્ટિક મિસાઈલો લઈ જવા માટે સક્ષમ છે, જે ભારતની મારક ક્ષમતાને અનેકગણી વધારી દે છે.
આ સમાચાર પણ વાંચો : Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
પરમાણુ સિદ્ધાંત અને ‘સેકન્ડ સ્ટ્રાઈક’
ભારતની પરમાણુ નીતિ ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલા હુમલો નહીં કરવાની નીતિ) પર આધારિત છે. આવી સ્થિતિમાં, જો દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરે, તો પાણીની અંદર છુપાયેલી આ સબમરીન વળતો પ્રહાર (Second Strike) કરવા માટે ભારતનું સૌથી મોટું હથિયાર સાબિત થશે. INS અરિદમન ભારતની પરમાણુ સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવશે.
ચીન સામે મજબૂત પડકાર
હિંદ મહાસાગરમાં ચીન પોતાની સબમરીન દ્વારા સતત વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. INS અરિદમન જેવી સ્વદેશી પરમાણુ સબમરીન ભારતની દરિયાઈ સરહદો પર બાજ નજર રાખશે અને કોઈપણ જોખમનો સામનો કરવા સક્ષમ રહેશે.