Jammu and Kashmir: જમ્મુમાં વધુ એક આંતકી હુમલો! ડોડામાં આતંકવાદી હુમલો, સેનાના પાંચ જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર

Jammu and Kashmir: અહીં આતંકીઓના ગોળીબારમાં એક ગ્રામીણ પણ ઘાયલ થયો છે. પોલીસે હુમલો કરનારા બે આતંકીઓમાંથી એકને ઠાર કર્યો છે. બીજો આતંકવાદી ગામમાં જ ક્યાંક છુપાયેલો છે. તેણે ઘટનાસ્થળે પહોંચેલા ડીઆઈજી અને એસએસપી કઠુઆના વાહન પર ગોળીબાર કર્યો હતો. બંને જણ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર ચાલુ છે.

by kalpana Verat
Jammu and Kashmir Third terror attack in 3 days in Jammu, 6 security personnel injured as operation underway

News Continuous Bureau | Mumbai

 Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. પહેલા રિયાસી, પછી કઠુઆ અને હવે ડોડામાં આતંકીઓએ હુમલો કર્યો છે. મંગળવારે, આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના અસ્થાયી ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો અને ગોળીબાર શરૂ કર્યો. જો કે, સુરક્ષા દળોએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને વળતો ગોળીબાર કર્યો. જવાનોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે આતંકવાદી હુમલામાં પાંચ જવાનોના ઘાયલ થવાના સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.  

Jammu and Kashmir બસ પર ગોળીબાર 

જમ્મુ ક્ષેત્રમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે આતંકવાદીઓએ તાજેતરમાં પોની વિસ્તારના તેરાયથ ગામ પાસે શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. 

Jammu and Kashmir આતંકવાદીઓએ હુમલો કર્યો

આ ઘટના અંગે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આતંકીઓએ હીરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં હુમલો કર્યો. આ પછી સર્ચ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK 47 રાઈફલ અને એક બેગ મળી આવી છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદી અને તેના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. આતંકી હુમલામાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ સમાચાર   પણ વાંચો : Vande Bharat train : વંદે ભારતમાં ‘મુંબઈ લોકલ’ જેવી મુસાફરોની ભીડ, વિડીયો થયો વાયરલ; રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા..

Jammu and Kashmir બીજા આતંકીની શોધ ચાલુ છે

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ત્રણ આતંકવાદી હુમલા અંગે એડીજીપી આનંદ જૈને કહ્યું છે કે આ આપણો દુશ્મન પાડોશી છે જે હંમેશા આપણા દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે હીરાનગર આતંકી હુમલામાં એક આતંકી માર્યો ગયો છે, જ્યારે બીજાની શોધ પણ ચાલી રહી છે. આ માટે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More