Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં મતગણતરી વચ્ચે આતંકવાદીઓની નાપાક હરકત.. ભારતીય સેનાના આટલા જવાનનું કર્યું અપહરણ અને હત્યા..

Jammu Kashmir : દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગાસ અને કોકરનાગના જંગલમાં પેટ્રોલિંગ કરી રહેલા ટેરિટોરિયલ આર્મીના બે જવાનોનું આતંકવાદીઓએ કથિત રીતે અપહરણ કર્યું હતું. આમાંથી એક જવાન ઈજાગ્રસ્ત હાલતમાં આતંકવાદીઓના ચુંગાલમાંથી કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો. આતંકવાદીઓ દ્વારા અન્ય એક જવાન શહીદ થયો હતો.

by kalpana Verat
Jammu Kashmir Terrorists Abduct Indian Army Jawan In South Kashmir, Massive Search Ops Launched

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir : ફરી એક વાર જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓની  નાપાક હરકત સામે આવી છે.  જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પરંતુ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ લોહીથી લથપથ  હાલતમાં મળ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સૈનિકો ટેરિટોરિયલ આર્મીના છે. જમ્મુ અને કાશ્મીરમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગઈકાલે એટલે કે 8 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

 Jammu Kashmir :  2020માં ટેરિટોરિયલ આર્મીના સૈનિકનું અપહરણ 

અગાઉ ઓગસ્ટ 2020 માં, આતંકવાદીઓએ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વેજનું અપહરણ કર્યું હતું, જેના પાંચ દિવસ પછી પરિવારને તેના કપડાં ઘરની નજીક મળ્યા હતા. તે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.

Jammu Kashmir : 5 દિવસ પહેલા કુપવાડામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા

આ પહેલા સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેના અને પોલીસ દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબર, 2024 ના રોજ, સેના અને પોલીસે એક શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં લીધી, ત્યારબાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન કેટલાક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર?, કોંગ્રેસ-NC ગઠબંધન તરફ આગળ વધ્યું, જાણો ભાજપની સ્થિતિ..

Jammu Kashmir : આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ

મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેના પર સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી છે. ઓગસ્ટમાં સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા સહયોગીઓના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 29 ગોળીઓ અને બે હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More