Site icon News Continuous Bureau | Mumbai

Kedarnath Yatra: કેદારનાથ યાત્રા આ તારીખ સુધી અસ્થાયી રૂપે સ્થગિત, જાણો શું છે કારણ

Kedarnath Yatra: ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નિર્ણય લેવાયો, શ્રદ્ધાળુઓને સલામત સ્થળે રહેવા અપીલ.

Kedarnath Yatra

Kedarnath Yatra

News Continuous Bureau | Mumbai

Kedarnath Yatra:  ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહીને કારણે કેદારનાથ યાત્રાને ૩ સપ્ટેમ્બર સુધી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ભારે વરસાદના કારણે યાત્રા રોકવામાં આવી

જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતીક જૈને જણાવ્યું કે, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આથી, યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ૧ થી ૩ સપ્ટેમ્બર સુધી કેદારનાથની યાત્રા અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સંબંધિત વિભાગોને પણ વરસાદની ઋતુમાં સતર્ક રહેવા અને જરૂરી તમામ તૈયારીઓ રાખવા માટે નિર્દેશ આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu: ‘તમને કન્નડ આવડે છે?’ સીએમ સિદ્ધારમૈયાએ દ્રૌપદી મુર્મુને પૂછ્યો સવાલ; રાષ્ટ્રપતિ એ આપ્યો આવો જવાબ

યાત્રાળુઓને પ્રવાસ ટાળવા અપીલ

જિલ્લા મેજિસ્ટ્રેટે યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ હાલ પૂરતો પોતાનો પ્રવાસ મુલતવી રાખે અને પોતાના ઘરે સુરક્ષિત રહે. જે યાત્રાળુઓ પહેલેથી જ પ્રવાસમાં છે, તેમને સુરક્ષિત સ્થળોએ રોકાઈને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

Bihar Train Fire। મોત સામે દેખાતા જ મચી ચીસાચીસ ટ્રેનમાં અચાનક ફાટી નીકળી ભયાનક આગ, મુસાફરોએ ચાલુ ટ્રેને કૂદીને બચાવ્યા જીવ!
NEET Paper Leak। NEET પેપર લીક મામલે સીબીઆઈની મોટી કાર્યવાહી, લાતુરની ૧૦૦ કરોડની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ રડાર પર; જાણો શું ખુલાસો થયો
Monsoon Update। એક તરફ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, બીજી તરફ દિલ્હીયુપીમાં રેકોર્ડબ્રેક ગરમી; જાણો તમારા રાજ્યમાં ક્યારે મળશે રાહત
Gig Workers Strike। પેટ્રોલડીઝલના ભાવ વધારાથી ગિગ વર્કર્સ માં ભારે આક્રોશ આવતીકાલે દેશભરમાં ૫ કલાકની હડતાળની જાહેરાત
Exit mobile version