Kuwait Fire: કુવૈતથી 45 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિશેષ પ્લાન કોચી પહોંચ્યું, વાતાવરણ ગમગીન, પરિજનોનું હૈયાફાટ રુદન; જુઓ વિડીયો..

Kuwait Fire: શુક્રવારે સવારે કોચી એરપોર્ટ પર ઘોર મૌન હતું. 45 ભારતીયોના મૃતદેહને લઈને કુવૈતથી એરફોર્સનું સ્પેશિયલ પ્લેન લેન્ડ થતાં જ દરેકની આંખ ભીની થઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો સવારથી એરપોર્ટ પર હાજર હતા. એરફોર્સના C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાંથી 31 ભારતીયોના મૃતદેહને અહીં ઉતારવામાં આવ્યા હતા. અહીંથી મૃતદેહોને તેમના વતન લઈ જવામાં આવશે.

by kalpana Verat
Kuwait Fire Bodies Of 45 Indians Who Died In Kuwait Fire Reach Kerala

News Continuous Bureau | Mumbai  

 Kuwait Fire: ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના પાર્થિવ દેહને લઈને કોચી પહોંચ્યું છે. તે કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું. પાર્થિવ દેહ આવતા જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. અહીં એરપોર્ટ પર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. લગભગ 35 એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો અહીં પાર્થિવ દેહ માટે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટના નેદુમ્બેસરી સ્થિત ટર્મિનલની બહાર કતારમાં ઊભા હતા અને તેમના પરિવારના સભ્યો પણ નજીકમાં ભીની આંખો સાથે રાહ જોઈ રહ્યા હતા.  

 Kuwait Fire: પરિજનોનું હૈયાફાટ રુદન

 Kuwait Fire: પાર્થિવ દેહ મોટાભાગના કેરળના

મહત્વનું છે કે અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન સાંજે 4 વાગ્યાની આસપાસ પાટનગર દિલ્હી પહોંચશે. જ્યાંથી અન્ય પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે. મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન સૌપ્રથમ કોચીમાં લેન્ડ થયું હતું. 

 Kuwait Fire: વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા

કુવૈતમાં અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. તેમણે 5 હોસ્પિટલોની મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર કરવામાં આવી રહી છે. કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા છે જે વિમાન દ્વારા મૃતદેહો લાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  NEET UG Exam 2024 : NEET પરીક્ષા કેસમાં CBIની એન્ટ્રી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસને લઈને આપ્યો આ જવાબ..

જણાવી દઈએ કે કુવૈતના મંગાફ શહેરમાં 12 જૂને એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં કુલ 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, અગાઉ મૃતકો નેપાળ, પાકિસ્તાન અને ઇજિપ્તના નાગરિકો હોવાનું પણ કહેવાતું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like