Site icon

Lok Sabha election result : RSS નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું – -જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા’; જુઓ વિડીયો   

Lok Sabha election result : રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણીને જ જોઈ લો. જેમણે ભગવાન રામની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર આવી ગયો. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી તો બનાવી પરંતુ તેને જે પૂર્ણ હક મળવો જઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને અહંકારના કારણે રોકી દીધી.

Lok Sabha election result Those who became arrogant were stopped at 241 by Lord Ram RSS leader Indresh Kumar on LS poll results

Lok Sabha election result Those who became arrogant were stopped at 241 by Lord Ram RSS leader Indresh Kumar on LS poll results

 News Continuous Bureau | Mumbai  

  Lok Sabha election  result : દેશમાં ફરી એકવાર કેન્દ્રમાં એનડીએની સરકાર બની ગઈ છે. આ વખતે લોકસભા ચૂંટણી ( Loksabha election 2024 ) માં ભાજપને બહુમતી મળી નથી અને પરિણામ ધાર્યા પ્રમાણે આવ્યા નથી. જેના કારણે સત્તાધારી પક્ષ ભાજપ નિશાના પર આવી ગયું  છે. મોહન ભાગવત બાદ હવે આરએસએસ નેતા (RSS Leader ) ઈન્દ્રેશ કુમારે ચૂંટણીમાં બહુમતીથી દૂર રહેલી ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને ‘અહંકારી‘ અને વિપક્ષ ઈન્ડિયા બ્લોકને ‘રામ વિરોધી’ ગણાવ્યા છે.

Join Our WhatsApp Community

Lok Sabha election result : પાર્ટી અને વિપક્ષનું નામ લીધા વગર નિશાન

ઈન્દ્રેશ કુમારે કહ્યું, રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણી ( Loksabha election 2024 ) ને જ જોઈ લો. જેમણે ભગવાન રામની ભક્તિ કરી પરંતુ તેમનામાં ધીરે ધીરે અહંકાર આવી ગયો. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી તો બનાવી પરંતુ તેને જે પૂર્ણ હક મળવો જઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને અહંકારના કારણે રોકી દીધી. ઈન્દ્રેશ કુમારે ( Indresh Kumar ) વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને કોઈ સત્તા આપવામાં આવી નથી. તેમાંથી કોઈને સત્તા આપી નથી. સાથે મળીને પણ તેઓ નંબર-1 બન્યા નથી.નંબર 2 પર રહી ગયા. આથી પ્રભુનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે. ખૂબ આનંદદાયક છે. 

Lok Sabha election result : જુઓ વિડીયો 

Lok Sabha election result : ચૂંટણી પરિણામો તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે 

વાસ્તવમાં, જયપુર નજીક કનોટામાં ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન’ સમારોહમાં, આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્યએ પક્ષોનું નામ લીધા વિના કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. ભાજપનો ઉલ્લેખ કરતાં ઈન્દ્રેશે કહ્યું, જે પાર્ટી (ભગવાન રામ પ્રત્યે) ભક્તિ ધરાવતી હતી પરંતુ અહંકારી બની ગઈ હતી, તેને 241 પર રોકી દેવામાં આવી હતી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.

આ સમાચાર  પણ વાંચો: Adani Group: અદાણી ગ્રૂપ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, ઉધોગપતિએ અધધ આટલા કરોડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો; જાણો શું લક્ષ્ય..

ઈન્દ્રેશ કુમાર, દેખીતી રીતે ઈન્ડિયા બ્લોકનો ઉલ્લેખ કરતા કહ્યું, જેને રામમાં કોઈ વિશ્વાસ ન હતો, તેને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. લોકશાહીમાં રામ રાજ્યનું બંધારણ જુઓ, જે લોકો રામની પૂજા કરતા હતા પણ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા, તે પક્ષ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ તેમને જે મત અને સત્તા મળવા જોઈતી હતી, તે તેમના ઘમંડના કારણે મળી નહીં.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version